SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીના આશીર્વાદ - વલ્લભભાઈના પત્રનું મધ્યબિંદુ, તેનો નિચોડ આ છે. સરકાર અને લોની વચ્ચે આમ પંચ હોય? સરકાર. સર્વોપરી નથી? આ પ્રશ્ન ઊભો થાય છે. કાયદાના પ્રશ્નોમાં આ સરકાર પણ કહેવાતી રીતે અદાલતના પિંજરામાં ઊભવા તૈયાર ગણાય છે. મહેસૂલને સરકાર અદાલતની બહાર રાખે છે. આનું કારણ સમજવું સામાન્ય મનુષ્યની અક્કલ બહાર છે. આપણે અત્યારે એ કારણની પંચાતમાં ન ઊતરીએ. પણ જ્યારે મહેસૂલના પ્રશ્નો સામાન્ય રીતે કાયદા બહાર છે, ત્યારે લોકે વતી વલ્લભભાઈ પંચ ન માગે તો શું કરે? સરકારને અરજી કરીને બેસી રહેવાની સલાહ આપે ? એવી સલાહ આપવી હોય તોયે લોકેએ જ તેવી બારી વલ્લભભાઈ સાર ઉઘાડી નહોતી રાખી. તેઓ અરજીઓ કરી ચૂક્યા. અરજી કરી આપવાનું કામ વલ્લભભાઈનું ન મળે, તેથી તેઓ - અરજી કરી આપનાર પાસે ગયા. ત્યાં ન ફાવ્યા એટલે વલભભાઈ પાસે સત્યાગ્રહના યુદ્ધમાં સરદારી કબૂલ કરાવવા ગયા. સત્યાગ્રહના કાનૂન પ્રમાણે વલ્લભભાઈએ સરકારની પાસે વિનયવિષ્ટિ કરી: “તમે ખોટ ન હો એમ સંભવે, લોકોએ મને ભોળવ્યો હોય એમ બને. પણ તમે પંચ નીમે ને તેની પાસે ઇન્સાફ કરાવો. તમારી ભૂલ થઈ ન જ હોય એ દા તમે નહિ કરે.” આ વિષ્ટિને સરકારે અનાદર કરવાની ગંભીર ભૂલ કરી લોકોને સત્યાગ્રહ કરવાનો માર્ગ સાફ કરી આપે છે. ' પણ સરકાર તો કહે છે કે વલ્લભભાઈ તે પરાયા છે, બહારના છે, પરદેશી છે. તે અને તેમના પરદેશી સાથીઓ જે બારડેલી ન ગયા હોત તે લોકે મહેસૂલ ભરી જ દેત, એવો તેના કાગળનો ધ્વનિ છે. ઊલટે ચોર કોટવાળને દંડે છે. બારડોલી જ્યાં લગી હિંદુસ્તાનમાં છે, ત્યાં લગી વલ્લભભાઈને કે કાશ્મીરથી માંડી કુમારિકા લગીમાં અથવા કરાંચીથી માંડી દિબ્રુગઢ લગીમાં રહેનાર હિંદીને બહારનો કેમ કહેવાય, તે નથી વલ્લભભાઈ સમજતા કે નથી બીજા કેઈ આપણામાંના સમજી શકવાના. પરદેશી, પરાયા, બહારના તે સરકારના અંગ્રેજી અમલદારે છે અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તે આ પરાઈ, બહારની સરકારના બધા અમલદારે, પછી તે કાળા હો કે ધેળા. સરકારનું “ણું” ખાનારા સરકારને જ પક્ષ લે. દ્રિોણુ ભીષ્માદિ જેવાને પણ યુધિષ્ઠિરને જવાબ આપવો પડ્યો: “જેનું લૂણ અમે ખાઈ એ છીએ તેના અમે તે કહેવાઈએ.” આ પરાઈ સરકાર વલ્લભભાઈ જેવાને બારડેલી પરત્વે “પરદેશી” કહે એ કેવી વતા? ઘેળે દીએ અંધારું થયું ગણાય. આવાં જ કારણે મારા જેવાએ સરકારને પ૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy