SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીના આશીર્વાદ આપણે સરકાર જોડે કજિયો બાંધવાની ખાતર આ લડત નથી માંડી. તેનું વાજબી લહેણું આપણે દૂધે ધોઈને ચૂકવી આપવું છે.” Bો વલ્લભભાઈએ સત્યાગ્રહને ઉદ્દેશ આવી રીતે સ્પષ્ટ કર્યો • એ જરૂરનું હતું, કારણ લડત શરૂ થઈ કે તરત વર્તમાનપત્રો પિતાની ઈચ્છા મુજબ એનું વર્ણન આપવા લાગ્યાં. આ વર્ણનમાં પ્રામાણિક અને અપ્રામાણિક અતિશયતા રહેલી હતી. લડતના પક્ષનાં કોઈ વર્તમાનપત્રો લડતને “જૂના બારડોલી કાર્યક્રમના પુનરુદ્ધાર” તરીકે અને સવિનય ભંગ' ની અને કરી ન ભરવાની લડત તરીકે વર્ણવતાં, તો “ટાઈમ્સ' જેવાં વિરોધી વર્તમાનપત્ર, ગુજરાત પ્રલયસંકટનિવારણ જેવાં ઉત્તમ કાર્યમાં શ્રી. વલ્લભભાઈએ કરેલી ઉત્તમ સેવા કબૂલ કરતા છતાં, “સરકારને મદદ કરવાને બદલે સરકારને ગૂચવનારી અથવા સરકારના તંત્રને અટકાવનારી હિલચાલના નેતા” તરીકે, અને “ગેરકાયદેસર હિલચાલમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તેજન આપીને તેમની ભયંકર અસેવા કરનાર” તરીકે શ્રી. વલ્લભભાઈને વર્ણવવા લાગ્યાં. આની સાથેસાથે આ જ વર્તમાનપત્રે અનેક જૂઠાણામાં એક બીજું પણ જૂઠાણું ચલાવ્યું હતું કે ગાંધીજીએ આ લડતમાં ભાગ લીધો નહોતો કારણ તેમને એ લડત પસંદ નહોતી. હિલચાલને હલકી પાડવાને માટે અનેક સાધનોમાં જૂઠાણું તો એક સાધન હેયે જ. ગાંધીજી હિલચાલને આશીર્વાદ તે આપી ચૂકેલા હતા એ સૈ જાણે છે, ૫૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy