SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ -આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ કરનારાઓને શિરોમણિ છું. આ આપને મારા કરતાં એ આપ કરનારા જ વધારે પાત્ર છે એમ મારે જણાવવું જોઈએ. સરકારના હેતુઓ છે અને કાર્યોના અર્થ અને અનર્થ કરવાની જરૂર જ શા સારુ હોય? તે - હેતુઓ અને કાર્યો પિતે જ ઘાંટે પાડીને પિતાની જાત પોકારે છે. - સરકારની મહેસૂલનીતિ કેવી ભક્ષક અને રક્તશાષક છે એ બતાવવાને માટે - અનેક સેટલમેંટ કમિશનરેના રિપેટમાંથી જોઈએ તેટલા ઉતારાઓ હું - આપી શકે એમ છું. માત્ર માતર તાલુકાને સેટલમેંટ રિપોર્ટમાંથી એક ઉતારે હું આપીશ. માતર તાલુકાની દાઢી સ્થિતિ છતાં ત્યાંના કલેકટર મિ. ઘોસલે દરમાં વધારે સૂચવ્યું હતું. એની ઉપર ટીકા કરતાં સેટલમેંટ કમિશનરને લાગ્યું કે કલેકટરે જે ભાષા વાપરી છે તે લેડ સૅલ્સબરીનું પ્રસિદ્ધ વાક્ય (‘હિંદુસ્તાનનું લેાહી એટલું ચુસાઈ ગયું છે કે તે હવે ધળી પૂણ જેવું થઈ ગયું છે”) યાદ કરાવે છે. આ રહ્યા સેટલમેંટ કમિશનરના શબ્દઃ “ઓછા કરેલા દરમાં મિ. ઘોસલ જે વધારે સૂચવે - છે તે હું સ્વીકારી નથી શકતો. હું તે આસિસ્ટન્ટ સેટલમેંટ કમિશનર સૂચવે છે તેના કરતાં પણ વધારે ઘટાડે સૂચવું. દરદીને બંધક દવાઓ - આપી તેથી ફાયદો નથી જણાવે. હવે રેચક આપી જોવી જોઈએ. પછી ૩૦ વર્ષે જ તે ખૂબ માતેલો દેખાય તે પછી આપણે ૧૯૪૭માં વધારે પ્રામાણિકતાથી મહેસૂલ વધારી શકીએ છીએ.” બારડોલીમાં તે છેડે વસ્તીનો વધારો થયો છે, એટલે સરકારની નજરે તે તાલુકે એટલે બધે માતી ગયું છે કે એનું લોહી ડું ચૂસવું જ જોઈએ. એટલે પિતાના છેલ્લા કાગળમાં સરકાર ઠંડે પેટે લખે છેઃ “બારડેલીના લેકેએ દેવાળું તે નથી કાઢયું કે દેવાળું કાઢવાની અણિએ પણ નથી પહોંચ્યા એ ચેકસ છે.” સરકારના પોતાના અમલદારેએ તૈયાર કરેલા આંકડાઓ અને તેમનાં વચને સરકારને અનુકૂળ ન પડે એટલે તે સંબંધ વિનાનાં ગણાય, અથવા ન સ્વીકારવા જેવાં ગણાય! સરકારના પહેલા પત્રમાં કશા કારણ કે આધાર વિના જણાવવામાં આવ્યું હતું: “ગુજરાત પ્રાંતને સરકારની - જમીન મહેસૂલનીતિથી બહુ ખમવું પડયું છે એ તમારું વચન ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારવાને તૈયાર નથી.” એના જવાબમાં આખા પ્રાંતની સ્થિતિ દર્શાવનારા આંકડાઓ સરકારનાં જ ચેપડાંમાંથી મેં ટાંક્યા. આને જવાબ સરકાર એ આપે છે કે આખા પ્રાંતમાં સૂઝે તે સ્થિતિ - હોય, બારડેલી અને ખેડાની વચ્ચે શું સંબંધ છે? અગાઉના સેટલમેંટ કમિશનરે બારડેલી તાલુકાના કરજને આંકડે આપેલો તે ટાંકી મેં કહ્યું કે ૩૦ વર્ષ ઉપર પણ તાલુકે ઠીકઠીક કરજદાર દશામાં હતું, તે સરકાર ૩૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy