________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ - અમદાવાદમાં ગાંધીજીને વલ્લભભાઈની સ્તુતિ કરવાની, અને " વલ્લભભાઈને બધી સ્તુતિ સાંભળી ગાંધીજીની સમક્ષ માનપત્ર , લેવાની મૂંઝવણ આવી પડે એમ હતું. તેનો બને કેમ નિકાલ. કર્યો તે તે બંનેનાં ભાષણે અક્ષરશઃ બીજે ઠેકાણે ઉતાર્યા છે. તેથી સમજાશે. (- જુઓ “અમૃતવાણુંવાળા ભાગમાં)
વિજ્યની ઉજવણીમાં રખેને કઈ ભાન ભૂલે, રખેને કઈ આંખ આગળ પડેલું કર્તવ્ય વિસરીને નિદ્રામાં પડે એ ખાતર: પ્રજાને ગંભીર ચેતવણી આપનારા ગાંધીજી અને વલ્લભભાઈના ઉગારે સ્વરાજ્ય મળ્યા પછી પણ લોકે પેઢી દરપેઢી સુધી, યાદ કરશે. ( જુઓ બારડોલીનું, સૂરતનું અને અમદાવાદનું ભાષણ - “અમૃતવાણું'વાળા ભાગમાં.)
શહેરીઓએ કરેલાં સ્વાગત બારડોલીની લડતથી શહેરીઓ પણ ઘેલા થયા હતા, અને ક્રિકેટની મેચ જીતીને આવતા ખેલાડીઓને ખાંધે ચડાવીને માન આપતા પ્રેક્ષકોની યાદ આપતા હતા. સુરત અને અમદાવાદનાં સ્વાગત જોઈને કેાઈ મશ્કર એમ કહે કે “તમે એકવાર લડી દે, પછી વાજાં વગાડી, સરઘસ કાઢી, વિજય ઊજવવાનું કામ અમારું છે એમ શહેરે સંદેશ આપતાં લાગે છે, તે તેને ભાગ્યે જ કઈ વાંક કાઢશે. પણ શહેરે સત્યાગ્રહની છત આવી રીતે ઊજવે એ પણ ઉત્સાહ આપનારી વાત તે છે જ.
સૂરત તો દીવાળી ઊજવી, સૂરતની રોશની અને સૂરતના. શણગાર, સુરતની પચીસ હજાર માણસોની અપ્રતિમ શાંતિભરી સભા લેકેની. સ્મૃતિમાંથી નહિ ખસે. અમદાવાદે પણ સરદારનાં સન્માન કરવામાં કશી કચાશ ન રાખી. શ્રી સરલાદેવીએ સ્ટેશને સરદારનાં ઓવારણાં લીધાં, અને મિત્રોએ સોનેરી હાર. આપ્યા. કેાઈએ મોતીએ વધાવ્યા, કેઈએ લાખ રૂપિયાના મેતીનાં તેરણના. શણગાર કર્યા. મંગળદાસ શેઠે પિતાના ભાષણમાં સત્યાગ્રહને વારંવાર ઉલ્લેખ કર્યો ત્યારે તે જમાને પલટાયો છે એમ ઘણાને લાગ્યું હશે. પણ એમ એકાએક જમાન પલટાઈ ગયો છે એમ
૨૭૬