________________
રળિયામણું ઘડી ( [ સત્યાગ્રહના વિજયના ઉત્સવપ્રસંગના મારા “નવજીવનના લેખ અને ગાંધીજી અને વલ્લભભાઈનાં ભાષણ જેમના તેમ અહીં ઉતાર્યા છે.
મ. હ. દે.. જાનકીનાથ સહાય કરે જબ કેન બિગાડ કરે નર તેરે ?”
નિર્બલકે બલ રામ'
પાવક દશ્ય બારડોલી સત્યાગ્રહના વિજયની ઉજવણી બારડોલીના ગામડામાં જઈ, બારડોલી તળમાં જોઈ, સૂરતમાં જોઈ, અને અમદાવાદમાં જોઈ હજી ઘણે ઠેકાણે થશે. પણ ગામડાંની ઉજવણીમાં સત્યાગ્રહમાં ભાગ લેનારાઓ પણ શામેલ હતા એટલે એની નેંધ વિશેષ મહત્ત્વની છે.
એ ઉજવણીનાં દશ્યોના સહેજે કેટલાક વિભાગ પડી જૉય. છે, અને તે વિભાગ પ્રમાણે નોંધને ગોઠવવાની રજા લઉં છું. એ દમાં જેને પાવક દો કહી શકાય એ તો બારડોલીનાં. ગામડાંમાં જેવાનાં હતાં. એ ભેળા ભલા ખેડૂતોને, અને જેનું દર્શન વિકારેને પણ શમાવી શકે એવું પુનિત છે એવી ખેડૂત સ્ત્રીઓને બારડોલી સત્યાગ્રહને અંત કેવી રીતે આવ્યા, સમાધાની કેવી રીતે થઈ કોણે કરી, સમાધાનીમાં શું શું થયું એ જાણવાની પરવા નહોતી. તેમને તે ગાંધીજી અને વલ્લભભાઈનાં દર્શન પૂરતાં હતાં, તેમને વિજયનાં ગીત ગાવાનાં નહોતાં, તેમને તે લડત પૂરી થઈ અને પિતાના હૃદયના દેવ તેમની આગળ અમૃતવચન સંભળાવવાને આવીને ઊભા છે
૨૬૭