SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ન્યાયપરાયણતાના સગુણથી અડધી અમલદાર આલમ તે ડસ્તી જ ફરે છે અને અડધી તેને દૂરથી પૂજે છે. આ લડતમાંના તમારા હિસ્સા વિશે તો હું કાંઈ લખતે જ નથી કારણું બાહ્ય દષ્ટિએ તમે તેથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું, અને એની કીર્તિમાં તમારે કોઈ હિસ્સો ગણે એ તમને ગમે પણ નહિ. જેમ કેટલાક ફિલસૂફે માને છે કે ઈશ્વરે આ સંસારના સતત પ્રવર્તતા ચક્રને ગતિ આપી પણ પછી તે ચલાવવા માટે તેની આવશ્યક્તા અનિવાર્ય ન રહી, અને છતાં તે ચક્રના પરિવર્તનને અનિવાર્ય હેતુ તે તે રહ્યો, તેમ તમે પણ અદશ્ય માર્ગદષ્ટા અને ચેતનદાયી દૃષ્ટાન્તરૂપે સહુના હૃદયમાં પ્રવર્તતા અને સહુને સીધે પંથે રાખતા રહ્યા છે. સાચી વાત છે કે એમની કીર્તિમાં તમારે ભાગ નથી, કારણ તમારી કીર્તિ જ અનેરી છે, એમાં કઈ ભાગ ભરી શકે એમ નથી, અને એને તમે ટાળી શકો એમ પણ નથી.”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy