SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ * આ સફાઈ અમારી સમજ કે બુદ્ધિની બહાર હતી. શ્રી. મુનશી જેઓ મસલતમાં ખૂબ રસ લઈ રહ્યા હતા અને મુંબઈથી સાબરમતી સુધી જઈ આવ્યા હતા તેમણે એક બીજે ખરડો ઘડો, શ્રી. શિવદાસાનીએ પણ ઘડ્યો, પણ એકે ખરડા સર ચુનીલાલને પસંદ નહોતે. મોડી રાત સુધી શ્રી. વલ્લભભાઈ અને શ્રી. મુનશી સર ચુનીલાલ સાથે ચર્ચા કરતા બેઠા. ખરડાની વાત છેડીને બીજી શરતોની વાત ચાલી. જમીને પાછી આપવાના સંબંધમાં, તલાટીઓને પાછા લેવા સંબંધમાં, સત્યાગ્રહીઓને છેડવા સંબંધમાં સંતોષકારક શરતે શ્રી. વલ્લભભાઈ અને શ્રી. મુનશી કબૂલાવી શક્યા. મોડી રાતે શ્રી. મુનશી ઘેર ગયા. પણું પેલો ખરડે તે હજી ઊભો જ હતો. શ્રી. વલ્લભભાઈની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ હતા, હું હતું. રાત્રે સૂતા પહેલાં તો અમે સર ચુનીલાલને કહી દીધું કે આવું કંઈ લખી આપી શકાય નહિ. પણ કેમે ઊંઘ ન આવે. ખૂબ ચર્ચા કરી, પૂનાથી નીકળી આવતાં પહેલાં ગવર્નરસાહેબને લખવાના એકબે કાગળોના ખરડા કર્યા, ફાડ્યા. સવારે ચાર વાગ્યા પહેલાં હું ઊઠી નીકળે, શ્રી. વલ્લભભાઈને પણ જગાડ્યા અને કહ્યું: “મને સર ચુનીલાલના પેલા ખરડામાં કશું જ લાગતું નથી. એમાં નથી આપણે બંધાતા, નથી - સૂરતના સભ્ય બંધાતા. સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે અને સરકાર માને કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.” વલ્લભભાઈ કહેઃ “પણ એમાં જૂઠાણું છે તે ? ” મેં કહ્યું : “છેતે, પણ તે સરકારના તરફથી છે.” વલ્લભભાઈઃ “આપણે સરકાર પાસે સત્યને ત્યાગ કરાવીએ છીએ એમ નહિ?” મેં કહ્યું: “ના, સરકાર સત્યને ત્યાગ કરે છે અને એમાં એને શ્રેય લાગે છે. એને લાગે તે લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.” ૨૫૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy