SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સત્યાગ્રહના જયજયકાર “મારે સરકારનું ખાટું દેખાય એવું કરવું નથી. એવું કરવામાં રાજ થનારા હું નથી. પણ એ જ રીતે પ્રજાનું નીચું દેખાડવાના સરકારને ઇરાદા હાય તા તે પણ હું નથી થવા દેવાના. ’ આ મ ગાંધીજી ખારડેાલીમાં ડેરે। નાંખી બેઠા હતા ત્યારે શ્રી. વલ્લભભાઈ ને રાવસાહેબ દાદુભાઈનું પૂનાથી તેડું. આવ્યું, ગુજરાતના સભ્યા તરથી એ તેડાનેા તાર હતા; અને તેમાં સર ચુનીલાલ મહેતાના અતિથ થવાને પણ વલ્લભભાઈ તે. આગ્રહ હતા, એટલે સર ચુનીલાલની સૂચનાથી નહિ તે તેમની સંમતિથી એ તેડું આવ્યું હતું એમ કહેવામાં વાંધો નથી. શ્રી. વલ્લભભાઈ ને મુંબઈપૂનાના ધરમધક્કા' એટલા બધા થયા હતા કે તેમને જવાનું જરાયે મન નહોતું, પણ સમાધાની થતી જ હેય તે। તે તેમની અશ્રદ્ધાથી અથવા તેમના ન જવાથી અટકે નહિ એટલા ખાતર તે ગયા. સાથે સાથે તારથી રા. સા. દાદુભાઈ તે જણાવ્યું : ‘ છાપાં વગેરેમાંથી તે કાઈની કાંઈ કરવાની દાનત હાય એવું દેખતા નથી, છતાં ગુજરાતના સભ્યાના ખેલાવ્યા આવવું જોઈએ એટલે આવું છું.' ૩ જી અને ૪ થી ઑગસ્ટે સર ચુનીલાલ મહેતાને ત્યાં શું બન્યું તે બધું આપવું શક્ય નથી, શક્ય હોય તેાપણુ આપવું શાબે એમ નથી. પણ મુખ્ય હકીકત સંક્ષેપમાં સૈાના ન્યાયની ખાતર અને સત્યની ખાતર આપવી જોઈએ. સરકારને ખબર પડી ગઈ હતી કે અલ્ટિમેટમ તે તેણે સૂરતના સભ્યાને આપ્યું હતું, પણ છેવટે સુલેહ કરવાની હતી તે। શ્રી. વલ્લભભાઈ સાથે. સૂરતના સભ્ય અને ૨૫૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy