SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મું ઊંઘમાંથી જગ્યા પણ રાવણ બાર મહિના સુધી એક વાડીમાં પુરેલી અબળાને વશ નહતો કરી શક્યો, અને એનું રાજ્ય રોળાઈ ગયું હતું. અહીં તે એંશી હજાર સત્યાગ્રહીઓ છે, તેમની ટેક છોડાવી શકનાર કોણ છે?' જ્યાં શ્રી. વલ્લભભાઈ જવાના હોય ત્યાં લોકો ઘેલા થઈ તેમને સાંભળવા જતા હતા શ્રીમતી શારદાબહેને તેમને વિષે ઓલતાં કહેલું“તેમનો એકેએક બોલ અંતરના ઊંડાણમાંથી જ આવતો લાગે છે. વલ્લભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બેલે છે. પરિસ્થિતિ તેમને વાચા આપે છે, અને સાંભળનારને ઉચ્ચ • ભૂમિકામાં લઈ જાય છે.” આખા ગુજરાતમાં એમને વિષે એવી સ્થિતિ થઈ પડી હતી કે - સર્વ વાંછત્તિ તં બની વેળું મધુરનિશ્વાન ને વન ફવા. વનમાં વનમૃગો મધુરી વેણુ તરફ આકર્ષાય તેમ સૌ તેમની વાંછના કરતું હતું. આવા માણસના પ્રતિક્ષણ વધતા જતા પ્રભાવે સરકારને બહાવરી બનાવી મૂકી. 1 લોકજાગૃતિના આ ચડતા પૂરની સાથે શ્રી. મુનશીએ નામદાર ગવર્નરને બારડોલીને તાદશ ચિતાર આપનારો જે પત્ર લખ્યો તેની ખૂબ અસર પડી અને તેણે ઘણુઓને તેમની ઘોર નિદ્રામાંથી જગાડવા. આમ જાગનારમાં એક “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' હતું. શ્રી. મુનશીએ પ્રકટ કરેલી હકીકત કડવી ઝેર જેવી હતી તેને કંઈક ભાવતી કરી શકાય તો તે કરવા માટે આ પત્રે પિતાના એક ખાસ ખબરપત્રીને બારડોલી મોકલ્યો. એ બારડોલીમાં એક દિવસ રહ્યો અને બધી હકીકતો મેળવી ગયો. તેને મળેલી હકીકતો શ્રી. મુનશીની હકીકતોને મોટે ભાગે કે આપનારી હતી અને ઊલટી વધારે કડવી લાગે એવી હતી. કોઈ પાપને પુણ્ય ખૂંચે, સ્વછંદીને સંયમ ખૂંચે, અવ્યવસ્થિતને ‘વ્યવસ્થા ખૂચે, સ્વાથીને ત્યાગ ખૂંચે, તેમ “ટાઈમ્સ ના આ ખબરપત્રીને પિતાની ટેકને માટે ખુવાર થવા બેઠેલા ખેડૂતો નિશ્ચય ખૂઓ, પડવો બેલ ઉઠાવી લેનારા સ્વયંસેવકેની શિસ્ત અને તાલીમ ખૂંચી, પિતાના સરદારની આંખમાંનો પ્રેમ જોઈ ઘેલી ૨૨૭ .
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy