SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મું . ન્યાયના ભવાડા સમા (ફરિયાદપક્ષનો બીજો સાક્ષી)ની જુબાની ઉપરથી જણાય છે કે ગાંધીવાળાએ મને કહ્યું કે આજે જે કામ તમે કરે તેનાં પરિણામ શું આવે છે તે કાલે જોઈ લેજો.” સાક્ષીને ખાસ પૂછવામાં આવ્યું કે ક્યા ગાંધીવાળા ત્યાં હતા, તેના જવાબમાં તેણે કહ્યું કે “ઉ હું જાણું ?” પ્રોસીકયુટરની ઇચ્છા તો એવી હશે કે ગાંધીવાળા તરીકે સાક્ષી સન્મુખલાલને બતાવે, પણ એ અભણ માણસ ઈશારો શાને સમજે? આરપીએ તો પોતે ગુનેગાર નથી એમ જણાવ્યું અને કહ્યું કે તેની સામે ઊભો કિલો મુકદ્દમો જૂઠા છે. - આ પુરાવાને બરાબર છણવાની જરા પણ તસદી લીધા વિના મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો કે આપીએ ઇજા કરવાની ધમકી આપવાનો ગુનો કર્યો છે, અને છ માસની સખત મજૂરી સાથેની કેદની સજા ફરમાવી. આ મુકદ્મામાં આપણે એકવાર માની લઈએ કે જેટલી વિગતો નોંધાઈ તેટલી બધી સાચી જ હતી અને ફરિયાદી પણ સાચો જ હતો, તોપણ તેમાંથી આરોપીની વિરુદ્ધ વધુમાં વધુ એટલે જ નિર્ણય થઈ શકે કે તેણે ફરિયાદીને તથા પટાવાળાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી. (એક સાક્ષીએ તે પોતાની જુબાનીમાં એમ પણ કહ્યું હતું કે થોડા દિવસ તેમને બહિષ્કાર થયો હતો અને પછી તે બહિષ્કાર કાઢી નાંખવામાં આવ્યો હતો.) પીનલ કોડની ૧૮૯મી કલમ મુજબ આ ગુન ગણાઈ શકાય ખરો? ઈજા એટલે તો કોઈ માણસને ગેરકાયદે કાંઈ નુકસાન પહોંચાડ્યું હોય તે સામાજિક બહિષ્કારને આવી ઈજા ગણી શકાય ? એને ગેરકાયદે ઈજા અથવા તે સાપરાધ ધમકી ગણવાની કાયદો સાફ ના પાડે છે. સામાજિક બહિષ્કાર થશે એટલે શું શું થશે તે બતાવનારે કશો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. એટલે આરોપીની વિરુદ્ધ કરવામાં આવેલી બધી ફરિયાદ સાબિત થયેલી ગણીએ (જોકે કશું સાબિત થયું નહોતું), તે પણ આરોપીને ગુનેગાર ઠરાવવા માટે તથા તેને ચાનક મળે તેવી આકરી સજા ફરમાવવા માટે પૂરતું કારણ નહોતું જ. ૧૯૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy