SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મું - બારડેલી દિન' પકડવામાં આવ્યું. આ લોકોને પોલીસ કાયદાની એક કલમ પ્રમાણે પકડવામાં આવ્યા હતા. જે કલમ પ્રમાણે એમને પકડવામાં આવ્યા હતા તે કલમ તે સાર્વજનિક સ્થળોએ રખડતા રઝળતા બદમાશોને માટેની હતી. પણ આ જુવાનની ખુમારી કલેકટર જેવો અમલદાર કેમ ખમી શકે ? તેમને કેસ ચાલ્યો, એ વળી વધારે હાસ્યજનક હતે. કેટ રાત્રે ભરાઈ હતી – બદમાશોને કેમ એક દિવસ પણ, છૂટા રાખી શકાય ? ફોજદારને બિચારાને જેમતેમ સાહેદે શોધવા પડયા. આમાંને એક તે પીધેલો હતો. તેણે કેવી જુબાની આપી હતી તેની કલ્પના સહેજે થઈ શકશે. તેને દારૂના ઘેનમાં બિચારાને નહોતું તારીખનું ભાન, નહોતું શું બોલે તેનું ભાન નહતું તેની સામે કેણ ઊભેલા તેનું ભાન. તેની જુબાની સુધારીને લખી લેવી પડતી હતી. ત્રણે જુવાનને ૫૦ રૂપિયા દંડ નહિ તે બે માસની સજા થઈ. તેમનો ગુનો મૅજિસ્ટ્રેટના શબ્દોમાં આ હતોઃ “આ આરોપી બારડોલીમાં કલેક્ટરના બંગલા આગળ કલેક્ટરને મુકામ હતો ત્યારે રઝળતો અને જતા આવતાને અટકાવ કરતો માલુમ પડ્યો હતો.કોને અટકાવ થયો હતો ? કેવો અટકાવ થયો હતો? તેના પુરાવાની કશી જરૂર નહોતી. ત્રણે જણાએ જેલમાં જવાનું પસંદ કર્યું. બીજે દિવસે સંખ્યાબંધ સ્વયંસેવકો જેલ જવાની આ અનાયાસે લાધેલી તક લેવાને ભેગા થયા, પણ તેમને કોઈએ પકડ્યા નહિ! બીજે દિવસે પેલા ટંટાકિસાદને માટે પકડેલા વાંકાનેરના ખેડૂતભાઈઓના કેસને ચુકાદો હતો. આરોપ એ હતો કે ૧૯ જણાએ ડેપ્યુટી કલેકટરનો સામાન લઈને જતાં ત્રણ ગાડાં અટકાવેલાં, અને ગાડાંવાળાને આગળ જતાં રોક્યા હતા. મુખ્ય પુરાવો એક એવા માણસને હતું કે જેની પાસે ઝાંખું બળતું એક ફાનસ હતું જેથી તે બધા આરોપીને ઓળખી શક્યો હતો. પુરાવો. એટલે તો નબળે, અથવા નહિ જેવો હતો કે પાંચને ઓળખાવી ન શકવાને લીધે આરોપ મેલ્યા વિના છોડી દેવા પડ્યા હતા. અને ત્રણને પાકા પુરાવા ન હોવાથી નિર્દોષ ઠરાવી છોડી ૧૮૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy