SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બારડોલી દિન' મેાકલી. ગાંધીજી કે સરદાર તેમને આવવા દે એમ તે। હતું નહિ, એટલે તેમણે કાગળ લખ્યાઃ “ રૂ. ૫૦૦ની નજીવી ભેટ હું મારી ખાનગી આવકમાંથી મેાકલુ છુ. આરડાલી આજે હિંદુસ્તાનની લડત લડી રહ્યું છે, અત્યારે એ એક જ રસ્તા રહેલા છે. હિંદ અખિલ ભારતીય સવિનયભંગ નથી કરી શકતુ એટલે આવી છૂટી છૂટી લડતા લડવી એ જ આપણે માટે શકચ છે. ઈશ્વર આરડાલીનું રક્ષણ કરશે. મારા મિત્રાએ મારી રકમની સાથેરૂ. ૧,૫૦૦ પાતા તરફથી ભર્યાં છે.” સત્યાગ્રહક્ડનાં નાણાંના ઇતિહાસ તે દેશના ઇતિહાસમાં રહી -જાય એવા કહેવાય. ખારડાલીમાં તે ચેક અને મનીઓર્ડર ચાલ્યા આવતા હતા જ, તેવી જ રીતે ‘નવજીવન' અને ‘યંગ ઇંડિયા' સેિ પણ આવતા હતા. આ નાણાં ભારતના પ્રત્યેક પ્રાંતમાંથી જ નહિ, પણુ દૂર દૂર દેશા—ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, ચીન, ન્યુઝીલેંડ, મલાયસ્ટેટ્સ અને શ્રીજીમાંથી આવતાં હતાં. દક્ષિણ આફ્રિકાનાં નાણાં તે। જાણે ખારડેલીનાં જ ગણાય. નાણાંમાં કેવાં કેવાં પવિત્ર દાને હતાં એ તે માત્ર થોડા જ દાખલા આપીને બતાવી દઉં. આ અમદાવાદના મજૂરમંડળે આ લડતમાં ખૂબ રસ લીધા હતા. ગરીબ મજૂરાએ એક એક આનાની રસીદા કાઢી, અને એ મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના એકએક આનામાંથી દોઢ હજાર રૂપિયા તેમણે મેાકલા. સ્વામી શ્રદ્ધાનન્દજીના ગુરુકુળના બ્રહ્મચારીઓએ આશ્રમની મરામત વગેરે કરીને પચાસ રૂપિયા ભેગા કર્યાં. ગુરુકુળના કાર્યકર્તાઓએ બસે રૂપિયા આપ્યા. એ સેમાં ગુરુકુળના એક રસાઇયાએ આગ્રહપૂર્ણાંક પેાતાને એક રૂપિયા નાંખ્યા. સ્પા ગુરુકુળના બ્રહ્મચારીઓએ કેટલાક દિવસ ઘીદૂધના ત્યાગ કર્યાં, મજૂરી કરી અને પાંસઠ રૂપિયા આપ્યા. ત્યાંના કાર્યકર્તાઓએ પંચાસી રૂપિયા આપ્યા. ઠેઠ ખંગાળથી અભય આશ્રમના કાર્યકર્તાઓએ શાકભાજીને ત્યાગ કરી પેાતાની નાનકડી રકમ મેાકલી. જે ચેાર્યાંસી તાલુકાના ખેડૂતાએ ખુશીથી વધારા આપી દીધે! એમ કહીને તેમનું અપમાન ૧૭૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy