SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ ૩. પરિસ્થિતિને પહેોંચી વળવાની કળા – જપ્તી કરવાનું જ્યારે શરૂ થયું ત્યારે તેા ખાતેદારા પેાતાની દુકાન અથવા ઘર અધ કરી રાખે એટલું જ કહેવામાં આવતું હતું. તેમને ‘ આપણાં {ળયાં ભ`ગાવી પડેાશીનું ઘર બચાવવાના પાઠ શીખવવામાં આવા હતે, પણ જ્યારે પ્રચંડ ભઠ્ઠી સળગી ત્યારે આખા તાલુકાને કારાગૃહમાં પુરાવાની સરદારે સલાહ આપી. જબરદસ્ત બદાખત છતાં પણ જ્યારે પઠાણા વાડે તેડવા લાગ્યા, ખારણાના નકૂચા ઉખેડવા લાગ્યા, ગાડાં ખેંચી જવા લાગ્યા, ત્યારે સરદારે તેમને કહ્યું: “ગાડાંના સાલપાંસરાં જુદાં કરી નાંખા, પૈડાં એક ઠેકાણે રાખા, સાટે ખીજી જગ્યાએ રાખા, ધર ત્રીજી જગ્યાએ રાખા; વાડાની વાડ એવી મજબૂત કરો કે એ વાડા કૂદીને એ ન પેસી શકે, એમાં છીંડું ન પાડી શકે; ખારણાં એવાં તે મજબૂત કરો કે કુહાડી લાવીને ચીરે તે જ એ બારણાં તૂટી શકે, એ લેાકાને ખરાબર થકવી નાંખો.’ જમીન ખાલસા થવાની વાત આવી ત્યારે પ્રથમ સરદારે વસ્તુમાત્રના નાશવંતપણાની ફિલસૂરીી સમજાવી આપણને કેટલી જમીન જોઈએ ? મુસલમાનને પાંચ હાથ અને હિંદુને તે। ઘડીકવાર માટે ત્રણ ચાર હાથ જોઈએ, તેયે બળી ગયેા એટલે પાછી બીજાને કામ લાગે; રેલમાં ધરા તણાઈ ગયાં, માણસ તણાઈ ગયાં તે જમીનનું શું ? આખરે જ્યારે જમીન ખાલસા થવા માંડી ત્યારે જમીન ખાલસા કરવાની કાઈની મદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય, અને પેાલીસા આવીને હિ ખેડે એમ કહીને સમજાવવા લાગ્યા. અને જ્યારે પૂરેપૂરું સંગઠન થઈ રહ્યું ત્યારે લેાકાને કહ્યું, ‘શરૂ કરેા વાવણી, જોઈ લેશું સરકાર શું કરે છે, ' અને સરકારને પડકાર કરીને કહ્યું: ચાસેચાત પાછા મેળવ્યા વિના આ લડાઈ બંધ થનાર નથી. પણ સાથી મહત્ત્વનું શિક્ષણ અહિંસાનું હતું. જ્યારથી કલેક્ટરે ‘ આગ અને અત્યાચાર 'ને બાહુ ઊભા કર્યાં ત્યારથી શ્રી. વલ્રભભાઈ પ્રથમ કરતાં વધારે ચેત્યા કે સરકાર તેાકાન કરાવતાં ચૂકે એમ નથી, અને લડતને માટે તાાન જેવી ધાતક ૧૭૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy