SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આરહેલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ જેવાથી બચજે, તેની જમીન પડતર રહેવા દેજે. ખેડૂતના પેટ ઉપર પગ મૂકીને સરદાર થયા છે તેવાને જમીન શા સારુ ખેડી આપવી? એની જમીનમાં ખેડૂતબો કદી પગ ન મૂકે.” બહિષ્કારને કયાંક કયાંક વધારે પડતી હદ સુધી લઈ જવાના * દાખલા પણ બનતા હતા. એવું જલદ હથિયાર હાથમાં આવે અને એને કદી દુરુપયોગ થાય જ નહિ એવું તે નહોતું જ. પણ જ્યાં જ્યાં એને દુરુપયોગ થવાની ખબર આવતી ત્યાં શ્રી. વલ્લભભાઈ પહોંચી જતા અને ઘટતું કરતા. આકરું યુદ્ધ ચાલતું હોય ત્યારે આથી વિશેષ તો શું બની શકે ? બહિષ્કારમાં કઈ વસ્તુ આવે અને કઈ વસ્તુ ન આવે એ વિષે શ્રી. વલ્લભભાઈ જેટલી ચોખવટ થઈ શકે તેટલી કર્યા જ કરતા. તેમનાં અનેક ભાષામાંના બહિષ્કાર વિષેના ઉદ્ગારનો સાર મારી ભાષામાં આપું તે આ છે: બહિષ્કાર કેમ ન કરીએ? સરકાર બહિષ્કાર નથી કરતી ? સરકારની અનીતિમાં શામેલ ન થાય એ અમલદારને સરકાર પાણીચું આપે છે. જે મામલતદાર એમના કહ્યા પ્રમાણે નિર્લજજ કામ ન કરે તેને પાણીચું આપે છે, અથવા બદલે છે. તે તમે શા સારુ બહિષ્કાર ન કરો ? તમે કાંઈ કોઈની રાજી નથી છીનવી લેતા; તમે તે માત્ર એની સાથે સંબંધ છેડો છે, એની સેવા લેવી બંધ કરે છે. એવો બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજને જન્મસિદ્ધ હક છે. કેઈની કનડગત કરવાનું એમાં આવતું નથી. આપણે કોઈનું પાણી, દૂધ, ખાવાપીવાનાં સાધનો, મંદિર, માંદગી વેળાની સેવા, સ્મશાને પહોંચાડવાની સેવા બંધ નથી કરી શકતા; એવું કરીએ તો માણસજાતમાંથી મટી જઈએ. આપણે બહિષ્કાર કરીને માણસ મટવું નથી, સામાને માણસ બનાવો છે. બહિષ્કાર કેવળ આત્મરક્ષણાર્થ છે. જેમ નાના ઊગતા છોડને વાડની જરૂર છે, ઊધઈ ન લાગે તે ખાતર ગેરુ અથવા ડામરની જરૂર છે તેમ સ્વતંત્રતાને સ્વાદ ચાખી સ્વતંત્ર રીતે પગ ‘ઉપર ઊભા રહેતાં હમણાં જ શીખેલા સમાજને સમાજદ્રોહીઓમાંથી બચવા માટે બહિષ્કારની જરૂર છે.' ૧૭૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy