SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગવાઈ રહેલું બારડેલા તેને ચાલુ લડત ઉપર ઘટાવી દઈ તેમણે રચેલાં સત્યાગ્રહગીતામાંથી એક તે વરાડ વિભાગનાં ગામેગામમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું: સમજીને બાંધે હથિયાર રે, જ્ઞાનીને ઘોડે-ટેક. શીલ સંતોષનાં બખતર પહેરજે રે, ધીરજની બાંધે તમે ઢાલ રે, જ્ઞાનીને ઘડે.. શરા હેય તે તે સન્મુખ લડશે રે, ગાફેલ તે ખાશે માર રે, જ્ઞાનીને ઘડે જુદ્ધને મારગ સહેલ ન હોય રે, ચડવાં ખાંડાં કેરી ધાર રે, જ્ઞાનીને ઘડે. સતના સંગ્રામમાં ચડવું છે આપણે રે, ચોપે ચેતી ચાલે નરનાર રે, જ્ઞાનીને છેડે જુલમના જુલમગારે ઝાડ ઉગાડી રે, ન રૈયતને કીધી બહુ હેરાન રે, જ્ઞાનીને ઘડે. આજ સુધી તે અમે ઊંઘમાં ઊંધી રે, - મળીઆ ગુરુને લાગ્યું જ્ઞાન રે, જ્ઞાનીને ઘડે. જુલમીની સાથે ભાઈએ ન્યાયથી ઝૂઝવું રે, આજે શીખ્યાં એ સાચો ધર્મ રે, જ્ઞાનીને ઘોડે. ધર્મની વારે મારે પ્રભુજી પધારશે રે, હારી જાશે જૂઠો અધર્મ રે, જ્ઞાનીને ઘડે. કહે છે વલ્લભભાઈ, સુણો નરનારીઓ રે, અંતે જરૂર આપણું જીત રે, જ્ઞાનીને ઘોડે. - વલ્લભભાઈનું વેણ તમે પાળજો રે, એવી આ બહેનની આશિષ રે, જ્ઞાનીને ઘોડે. આ બહેનો સભામાં આવતી હતી એ તો અનેકવાર લખાઈ ચૂક્યું, પણ હવે એ બહેન પિતાની સ્વતંત્ર સભાઓ કરવા લાગી હતી. ગામડાની મુસલમાન બહેને સભા કરે, તેમાં મણિબહેનને બોલાવી ભાષણ કરાવે અને તેમને સત્યાગ્રહને માટે થેલી અર્પણ કરે એ આ સત્યાગ્રહયુગમાં જ સંભવી શકે એમ સૈાને લાગતું હતું. પણ બ્રાહ્મણ બહેનોની સભા, અને એ પછી અનેક સ્ત્રીસભાઓ.' બહેનોને લડતમાં રસ લેતી કરીને સરદારે અર્ધી લડત જીતી લીધી હતી એમ કહેવામાં જરાય અતિશયતા નથી. . ૧૫૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy