SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મું ગવાઈ રહેલું બારડોલી આ એક ગામ હતું, અને વધારે ન કર્યો છતાં લડતમાં જોડાવાને માટે આટલી આકરી તાવણી ત્યાં થઈ હશે. બાકીનાં ત્રણ ગામેં. તો કોળી, રજપૂત અને દૂબળાનાં હતાં, પણ ચારે ગામે સરકારી નોકરોના મેલા હુમલાઓ છતાં અખંડ અડગ ઊભાં હતાં. “આખા તાલુકાની સાથે તરવું કે મરવું” એ સરદારની વાત તેમની રગેરગમાં ઊતરી ગઈ હતી. સરભાણ જેવાં ગામ જે લડાઈમાં ડાં ઊતર્યા હતાં તે તો આખા તાલુકાના નાકરૂપ થઈ પડ્યાં હતાં. કાયદેસર પગલાં લેવા જતાં સરકારને ખબર પડી કે તેનાં હથિયાર કેટલાં નકામાં થઈ ગયાં હતાં. સરકારને કોઈ પગી નહોતો મળતો, લિલામની વસ્તુઓ લેનાર એકે પ્રામાણિક સજજન નહોતો મળતે, જમીન ખરીદનાર તાલુકાને કે બહારનો એક પ્રતિષ્ઠિત ખાતેદાર નહોતો મળતો. એક બાજુથી આ ગ્રામસંગઠન અને બીજી બાજુથી સરદારની કુશળ વ્યુહરચના સોને આશ્ચર્ય પમાડતી હતી. સરકાર કાયદેસર લડે તો તો બહુ મહેનત કરવાપણું નહોતું, પણ કાયદાને કેરે મૂકીને ચાલનારા અથવા તો કાયદામાં મૂકેલી મર્યાદાનો ભંગ કેવી રીતે કરી શકાય એના જ વિચારમાં નિશદિન ભમતા, કૂડકપટ, પ્રપંચ, જૂઠાપણને ડગલેડગલે આશ્રય લેતા સરકારના સ્તંભે સામે ઊભા રહેનારા ભડ થાણદારો સિવાય સરદાર પણ શું કરત? એક તરફથી સરકારને મદથી છકેલા, જેમને જુવાની - તેમજ અમલનો બેવડો મદ ચડેલો છે, અને તેને કાબૂમાં રાખવાને અકકલ નથી એવા” માણસે મળ્યા હતા. બીજી તરફથી સરદારને - કુંદન જેવા સાથી મળ્યા હતા, સરદારને સાચી પરિસ્થિતિથી વાકેફ કરનારા, નબળાઈ ન ઢાંકનારા, અને સરદાર પણ જેની પવિત્રતાને નમે એવા સાથીઓ મળ્યા હતા. ' અને આ થાણદારોના કિલ્લા સ્વયંસેવકોની સેના વિના શી રીતે નભી શકત ? એ લોકોને તાપ, તડકે અને તરસ જેવી વસ્તુ નહતી. ગમે તે રસ્તે કાળી રાતે જતાં એમની છાતી ડગતી નહોતી. પત્રિકાઓ વહેંચવા કે પત્રિકાનો મસાલે ભેગે કરવા ઉજાગરા કરીને પણ તેઓ અમુક સમયે મુખ્ય થાણે અને મુખ્ય : ૧૫૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy