________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ હતી. હવે રેવન્યુ મેમ્બરના કહેવાથી તા. ૫ મીએ તેઓ કમિશનર મિ. સ્માર્ટને મળ્યા, પણ તેમની પાસેથી કશું નવું ન પામ્યા. જે વાત કમિશનરે શ્રી.વલ્લભભાઈને લડતની શરૂઆતમાં કરી હતી તે જ વાત તેમણે રા. બ. ભીમભાઈને કરીઃ “વધારો. સાથે સરકારધારો ભરી દે તે થોડાં ગામમાં અન્યાય થયેલો હોય તેની તપાસ કરશું.” આ પછી તેમણે ધારાસભાના બીજા ગુજરાતના સભ્યો અને પિતા તરફથી ના. ગવર્નરને કાગળ લખે, તેના મંત્રી તરફથી અનેક ઉડાઉ અને ઉદ્ધત જવાબો આવ્યા.
આ પત્રવ્યવહારનો સાર સરકારની ઉદ્ધતાઈ અને દાનત બતાવવા પૂરત આપવાની જરૂર રહે છે. . પિતાના કાગળમાં ધારાસભાના સભ્યોએ સરકારને “ઉદ્ધત કહી હતી, તે માટે સરકારે તેમના કાગળને ધ્યાનમાં લેવાની પણ ના પાડી. ધારાસભાના એ ભલા સભ્યોએ દિલગીરીનો પત્ર લખ્યો. અને “ઉદ્ધત’ શબ્દ કાઢી નાંખ્યો, ત્યારે તેમને આ મતલબનો જવાબ મઃ “અમને કશું કહેવાનું નથી. ડાં ગામના વર્ગ ચડાવેલા હતા તે ઉતાર્યા, હવે અન્યાય શો રહ્યો? બારડોલી તાલુકાના ખેડૂતોના પાકમાં ૨૦ ટકા વધારો થયો છે, એટલે ૨૦ ટકા વધારો મહેસુલમાં થવો જોઈએ. વળી તમે ધારાસભાના મતની વાત તે ભૂલી જ જતા લાગો છો! ૪૪ વિરુદ્ધ ૩૫ મતથી બારડોલી ઉપર તમે હારી ગયા તે વસ્તુ શું બતાવે છે!”
ધારાસભાના સભ્યો કાંઈ નમ્રતામાં પાછા હઠે એમ નહોતું. તેમણે પાછી વિનંતિ કરી વળી લખ્યુંઃ “તમે સરકારી અમલદાર તરફથી તપાસ થાય એવી અમારી મોળી માગણી પણ ન સ્વીકારો એ આશ્ચર્ય છે, અમારે રાજીનામું આપવું જ જોઈએ.” એટલે ગવર્નરને ખાનગી મંત્રી તેમને બનાવે છે અને લખે છેઃ “ભલા માણસ, સરકારી અમલદાર મારફત તપાસની પણ ના પાડવાનું તમે લખો છો એ ખોટી વાત છે !' ' ભલા સભ્યોને લાગે છે કે હવે તો બારી ખૂલી, એટલે તરત લખે છેઃ “આપ સરકારી અમલદાર મારફતે તપાસ કરાવવા ખુશી છે જાણીને અમને આનંદ થાય છે. જે એટલું આપ કરો તે અમે તો વલ્લભભાઈ
૧૪૮