________________
૨
ભક્ષણનીતિ
૬૮૦ ટકા ખેડૂતવસ્તીવાળા આ દેશમાં ખેડૂત માટે જેવા રાક્ષસી કાયદા છે તેવા ધરતીના પડ ઉપર કચાંયે નહિ મળે,”
આ
'
રડાલી સત્યાગ્રહની ઉત્પત્તિના વર્ણન ઉપર આવીએ તે પહેલાં આ દેશમાં, અથવા આ પ્રાંતમાં, ચાલતી જમીનમહેસૂલનીતિ વિષે ઘેાડી હકીકત આપવી જરૂરની છે. સવે’ કત્યારથી અને કેમ શરૂ થઈ, મહેસૂલઆકારણી કેવી રીતે થવા માંડી એ બધી વસ્તુના ઇતિહાસમાં અહીં નહિ ઊતરી શકાય. આ ઇતિહાસ વાંચનારે જાણવાજોગી કેટલીક હકીકત આ પ્રકરણમાં રજૂ કરીશ.
'
,
જમીનમહેસૂલ એ ‘કર' છે કે ‘ ભાડું અથવા ગણેાત ' છે એ સવાલ એકવાર બહુ ચર્ચાતા અને સરકારી અમલદારો પણ નિષ્પક્ષ રીતે તેને ચતા. લેટેનન્ટ કર્નલ બ્રિગ્ઝ નામના એક લેખકે જમીનમહેસૂલ ઉપર પ્રકાશ પાડનાર એક મહત્ત્વના ગ્રંથ લખ્યા હતા તેમાં બતાવ્યું હતું કે સેકડા વર્ષો થયાં જમીનને માલિક એ જમીનને ભાગવટા કરનાર ખેડૂત મનાતા આવ્યેા છે, સરકાર માલિક નથી, પણ અંગ્રેજ સરકાર તે જમીનની માલિક થઈ ખેડી છે અને વધારેમાં વધારે મહેસૂલ ઉત્પન્ન કરવાનું સાધન એને માને માને છે. આ ગ્રંથ ૧૮૭૦ માં લખાયેા હતેા. ૧૮૫૭માં આમની સભાની એક કમિટી આગળ પુરાવા આપનાર એક અંગ્રેજ અમલદારે ખૂલ કર્યું હતું કે જમીનમહેસૂલ ઠરાવવામાં