SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ લોઢું અને હવે જણાવ્યું કે કલેકટર કહે છે કે લોકોની ભરવાની મરજી છે, છતાં બહારના ચળવળિયાઓના દબાણથી તેઓ ભરી નથી શકતા, એ વાત તદ્દન જૂઠી છે. દબાણ તે સરકારનું થઈ રહ્યું છે, અને તેના પારસી દુકાનદારે જ ભેગો થઈ પડેલા છે. પેલા અમલદારને ઉપરથી કાંઈ સપાટો આવ્યો કે શું થયું, તેના માણસો પાછા દોડ્યા, વાલોડ રાત્રે પહોંચ્યા, દુકાન ખોલી અને દેરાબજી શેઠને દબડાવવા લાગ્યાઃ “દુકાન કેમ નથી ચલાવતા?” તે કાંઈ ગાંજ્યા જાય એમ નહોતા જ. તેમણે પણ સીધા જવાબો આપ્યા, એટલે પેલો કાગળ લખવા માટે તથા કલેક્ટર સાહેબ જેવા મેટા સાહેબને જૂઠા પાડવા માટે “કાળા કિતાબ એમાં તમારું નામ નોંધવામાં આવશે એવી તેમને ધમકી મળી. પણ દોરાબજી શેઠે તો પીડું ન જ ખોલ્યું, અને જ્યાં સુધી જપ્ત કરેલાં પીપે ન ખસેડવામાં આવે ત્યાં સુધી હું દુકાન ચલાવવા નથી માગતો એમ જણાવ્યું. આ દુકાન ઉપર પાછો હુમલો થયો ! દેરાબજી શેઠની પાસે સરકારમાગણું ૩૦૦ રૂપિયા જેટલું હશે તે માટે રૂ. ૨,૦૦૦નો – રોકડ રૂપિયાની બરોબરનો --દારૂ જપ્ત કર્યો, તેમની દુકાનના બાંકડા વગેરે જપ્ત કર્યા. દુકાન ન ચલાવવાથી તેમને નુકસાન વેઠવું પડયું તે ઉપરાંત પાછી ચડાઈ? પાછી ચડાઈમાં દુકાનની બહાર પડેલાં ખાલી પીપે જપ્ત કર્યા, અને તેમાં પહેલાં જપ્ત કરેલાં પીપેન દારૂ ભરવા માંડ્યો. એક પીપ કાણું, બીજું કાણું, ત્રીજું કાણું. કેટલાય દારૂ જમીન પર ઢળ્યો ! એની પેલાઓને શી પરવા? બીજે ક્યાંકથી પીપ લાવ્યા અને તે ભરીને તે દારૂને હરાજ કર્યો. સ્વાભાવિક રીતે આ ઘટનાઓથી ચીડ ચડે. એ ચીડ ન ચડે એટલા ખાતર બીજે દિવસે પત્રિકામાં ઘટના વર્ણન કરનારી નોંધ આવી તેનું મથાળું આ હતું: “સાલાં પાપ પણ સ્વરાજમાં ભળ્યાં' ! ગમે તેવી ઘટનામાંથી વિનોદ કાઢી શકે એવી આ મનોદશાને કઈ સરકાર જીતી શકે ? આ મનોદશા લકે રોજરોજ વધારે વધારે કેળવતા જતા હતા. . - દારૂવાળાઓની સ્થિતિ જરા કઢંગી હતી. તેમને રોજરોજ સરકારી તિજોરીમાં પૈસા મોકલવા પડે. સરકાર એ પૈસા દારૂને ૧૧૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy