________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૫
પ્રતિક્રમણ એટલે શું અને તેની સમજ
નોંધ : આ લેખમાં સરલ રીતે જરૂરી સમજ આપી છે.
પ્રત્યેક આત્મા સ્પષ્ટપણે કે અસ્પષ્ટપણે, અવિનાશી, સંપૂર્ણ અને નિર્ભેળ (એટલે દુઃખના મિશ્રણ વિનાનાં) આવા ત્રણ વિશેષણ કે ગુણવાળા સુખની સતત ઝંખના કરે છે. પણ આવું સુખ ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં અર્થાત્ ત્રણેયલોકમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. આ દુનિયાના કોઈ ખૂણે-ખાંચરે તે નથી. ટૂંકની ઝૂંપડીથી લઈને રાજાના મહેલોમાં ઘુમી વળો તો ત્યાંયે નથી. ભૂતકાળમાંય ન હતું અને ભવિષ્યમાં પણ હોવાનું નથી. આવું સુખ તો માત્ર એક મોક્ષ–મુક્તિસ્થાનમાં જ છે, અને જ્યારે આત્માની ત્યાં ઉત્પત્તિ થાય ત્યારે ત્રણેય ગુણોથી વિશિષ્ટ એવા આત્યંતિક સુખનો અનુભવ કરી શકે છે.
એ મોક્ષ સ્થાન ક્યાં આવ્યું?
દેશ્ય વિશ્વ કરતાં અદેશ્ય વિશ્વ અસંખ્યગણું મોટું છે. ત્રણેય લોક અને મોક્ષસ્થાન સહિતના આ વિરાટ વિશ્વને જૈનધર્મની ભૌગોલિક પરિભાષામાં તો કહેવાય છે. તેનું પ્રમાણ ચૌદરાજ પ્રમાણ હોવાથી વહેવારમાં લોકની આગળ ચૌદરાજ શબ્દ જોડી પ્રસ્તુત લોકને ‘ચૌદરાજલોક’ શબ્દથી ઓળખાવાય છે. આ ચૌદરાજલોક પ્રમાણ લોક ક્ષેત્રમાં કેન્દ્રમાં એક રાજ પ્રમાણ લાંબા-પહોળા તથા ચૌદરાજ ઊંચા એવા સમચોરસ ક્ષેત્રને
૧. ચૌદરાજ એટલે શું? તો ‘રાજ' શબ્દ એ જૈનધર્મની ભૌગોલિક પરિભાષામાં ક્ષેત્રમાનની સંજ્ઞાનો વાચક શબ્દ છે. એક રાજમાં અસંખ્ય એવા કોટાનુકોટી યોજનનો સમાવેશ થાય છે, અને આ લોક બરાબર ચૌદરાજ જેટલા માનનો હોવાથી ‘ચૌદરાજ' શબ્દ રૂઢ થઈ ગયો છે.