________________
૯૭
૬) સમાધાન - સદ્ગુરુ ઉવાચ
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષપાયની, સહજ પ્રતીત એ રીત.
૯૮ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ.
--)
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૧૦૦ રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૧ આત્મા સત્, ચૈતન્યમય, સર્વભાવ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૩ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૪ કર્મબંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તેહ;
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૫ છોડી મત દર્શન તણો, આગ્રહ હોય વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૬ ષપદના ષટ્કશ્ન તેં, પૂછ્યા કરી વિચાર તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.
૧૦૭ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન હોય. ૧૦૮ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ભેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ