SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોકતાપણું જણાય. ૮૪ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વૈદ્ય. ૮૫ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણામે, થાય ભોગથી દૂર. ૮૬ તે તો ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપ સાવ. ૮૨ થી ૮૬-ચોથી શંકા આત્મા ભોકતા છે તેનું સમાધાન-આત્માએ કરેલાં કર્મને આધારે, શુભ-અશુભ ભાવનો કર્તા બને છે, જેમ અમૃત અથવા ઝેરની અસર જાણતા-અજાણતા થાય છે તેમ કરેલાં કર્મને ભોગવવાં જ પડે છે, તેના દાખલા રૂપે એક રાજા અને એક ભિખારીનું ઉદાહરણ છે, તે પૂર્વ જન્મના કર્મનો જ ભોગવટો છે. તેથી સર્વોપરી વિતરાગી પરમાત્મા કર્તા કર્મ વ્યવસ્થાના સાક્ષી છે અને અજ્ઞાની આત્મા સર્વ કર્મને ભોગવી, મુક્તિને પામી શકે છે. ૫) શંકા-શિષ્ય ઉવાચ ૮૭ કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ ૮૮ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૭ થી ૮૮-પાંચમી શંકા મોક્ષ છે. શિષ્ય કહે છે કે કર્તા-ભોકતા પણ હોઈ શકે પણ એમાંથી મુક્તિ ન મળે. જીવ અનંતકાળથી શુભ ભાવમાં દેવલોક અને અશુભ ભાવમાં નરક ભોગવે છે તેથી મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે. પ) સમાધાન - સદ્ગર ઉવાચ ૮૯ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ
SR No.032678
Book TitleTattvagyanni Gufama Aatmani Anubhuti
Original Sutra AuthorN/A
AuthorSuresh Shah
PublisherMumbai Jain Yuvak Mahasangh
Publication Year2019
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy