________________
શિવ રમણીના પ્રિતમ પ્યારાં,
પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા,
પારસનાથ અનુપ......૧ નિલવરણ નિરમળ નિર્મોહ,
અનંગજીત ભગવંત;....૨ પારસ પરસે લોહખંડને,
પળમાં કંચન થાય; પદ પંકજ પારસના પરસે,
ભવના બંધન જાય.....૩ શામળીયાની સેવા કરતાં, | મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે,
એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી,
પૂજીએ પાસ જિણંદ; “મોહન” ભવના અંધારામાં,
પ્રગટે પુરણચંદ....૫
શ્રી મુહરિ પાર્શ્વનાથ