________________
‘જો તું હઠાગ્રહ રાખીશ તો તને મારી મિલ્કત માંથી એક રૂપિયો પણ
મળશે નહિ.’
છે.’
‘વાંધો નહિ...’ રિષભ મક્કમ હતો. બન્ને પિતા-પુત્ર વચ્ચેનું વાક્ યુધ્ધ
પુરૂં થયું.
રિષભ બીજે જ દિવસે મનસુખલાલના ઘેર ગયો અને રોહિણીને બોલાવી. રિષભે રોહિણીને કહ્યું : ‘રોહિણી, તું તૈયાર થઈ જા . ..આપણે બહાર જવું
‘અત્યારે બપોરે બાર વાગે ક્યાં જવું છે ?' ‘તું પ્રશ્નો ન કર... હું કહું તેમ કર...’
‘ભલે...દસ મિનિટમાં તૈયાર થઈને આવું છું.' રોહિણી અંદર ચાલી ગઈ. રોહિણીના મમ્મીએ જમાઈની આગતા-સ્વાગતા કરી. થોડીવાર રહીને રિષભ રોહિણીને પોતાની કારમાં બેસાડીને કોર્ટનાં મેરેજ રજીસ્ટર ઓફિસમાં આવ્યો. ત્યાં બન્નેએ રજીસ્ટર મેરેજ કર્યા. એ વખતે રિષભની મમ્મી, મોટી બહેન તથા રિષભના મિત્રો હાજર હતા. રોહિણીને ભારે નવાઈ લાગી. રિષભે જરાય અણસાર પણ આપ્યો નહોતો. રિષભની મમ્મીએ રોહિણીને ત્યાં જ કીમતી દાગીનો પહેરાવ્યો. સૌએ અભિનંદન આપ્યા.
રિષભ પરિવાર સાથે રોહિણીને પોતાના બંગલા પર લઈ આવ્યો. રોહિણીનું સ્વાગત કરાયું. કિસનલાલને તેની પત્નીએ ફોન પર આ સમાચાર આપ્યા તેઓ તરતજ ઘેર આવ્યા અને સૌની ઈચ્છાને માન આપીને કિસનલાલે નવી વહુનો સ્વીકાર કર્યો. આ સમાચાર મનસુખલાલના પરિવારને આપવામાં આવ્યા. બન્ને પરિવારો ભેગા થયા. ખુશીનો માહોલ જામ્યો.
ચાર દિવસ બાદ ભવ્ય રીસેપ્શન યોજવામાં આવ્યું. રિષભ અને રોહિણી વચ્ચે એક દિવસ શંખેશ્વર ભક્તિવિહારમાં જઈ આવ્યા અને શ્રી હ્રીઁકાર પાર્શ્વનાથની ભક્તિ કરી. રોહિણીનો સંકલ્પ પૂરો થયો તેનો આનંદ હતો. મનસુખલાલના પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.
૨૨
શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ