SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાર પાર્શ્વનાથ અમદાવાદમાં કાળુશાની પોળ, કાળુપુરમાં શ્રી હૂકાર પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. આજે અમદાવાદમાં નવી નવી સોસાયટીઓમાં અનેક દર્શનીય જિનાલયો છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી હૂંકાર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કાળશાની પોળમાં આ પ્રતિમાજી શ્રી હૂકાર આકૃતિથી યુક્ત છે. શ્યામ વર્ણના પાષાણની, પદ્માસનસ્થ અને સંપ્રફણાથી અલંકૃત આ પ્રતિમાજી કલાત્મક પરિકરથી પરિવૃત્ત છે. તે - પરમ આનંદ આપનારી શ્રી હૂકાર પાર્શ્વનાથજીની આ પ્રતિમાજીની ઊંચાઈ અને પહોળાઈ ૧૦ ઇંચની છે. ડુંગરપુરમાં ગોરધનદાસજી પટવાના ઘર મંદિરમાં હૂકાર આકૃતિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધાતુબિંબ વિદ્યમાન હોવાનું માનવામાં આવે છે. તેમજ આ દર્શનીય પ્રતિમાની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. હૂ એક મંત્રબીજ છે. તેમાં ચતુર્વિશતિ જિનેશ્વર ભગવંતની સ્થાપના છે. કાળશાની પોળમાં શ્રી સંભવનાથ જિનાલયના ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની બાજુમાં શ્રી હૂકાર પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજીત છે. કાળુશાની પોળમાં ત્રણ જિનાલયો આવેલાં છે. શ્રી સંભવનાથજીના ધુમ્મટબંધ જિનાલયમાં ઉપર શ્રી શાંતિનાથજી તથા ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજમાન વિક્રમ સંવત ૨૦૨૦માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. વિ.સં. ૨૦૨૧માં આગમપ્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રી જંબુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ હતી. મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી સંભવનાથજીની પ્રતિમા પર સંવત ૧૫૨૭નો લેખ છે. તથા ઉપરના ગભારાના મૂળનાયક શ્રી શાંતિનાથજીની શ્રી હ્રીંકર પાર્શ્વનાથ ૧૭
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy