________________
શાસનની ધૂરા સંભાળી રહ્યાં છે. પૂજ્યશ્રીના ત્રીજા ભાઈ હરિભાઈ પ્રતાપચંદ્ર શાહ છે. તેઓ મુંબઈમાં રહે છે.
| પૂજ્ય શ્રી શુભ નિશ્રામાં અનેક જગ્યાએ અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ, મહાપૂજન મહોત્સવ થયા છે. ધર્મ સંસ્થાઓની સ્થાપના પણ થઈ છે. પ્રતિષ્ઠાઓમાં મુખ્ય રૂપમાં પુના, મુંબઈ, હિંગનઘાટ દૌડ, વાઈ, દાંતા, મરિનડ્રાઈવ, શંખેશ્વર, રાજકોટ (શ્રી પાર્શ્વ પ્રેમધામ - નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના પ્રેરક અને પ્રતિષ્ઠા) સહિત અન્ય સ્થાનોમાં અંજન શલાકા, પ્રતિષ્ઠાઓ થઈ છે.
શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
૨૨૧