SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય સેવાવ્રતી પં. પ્રેમવિજયજીએ હૃદયદ્રાવક વિલાપ કર્યો હતો. જ્યારે અદશ્યનાપડદા પાછળથી ગુરૂદેવે દર્શન આપ્યા ત્યારે જ પં. પ્રેમવિજયજી મ. નો શોક દાવાનલ શાંત થયો. જ્યાં જ્યાં પં. પ્રેમવિજયજી મ. ના ચાતુર્માસ થયા, ત્યાં ત્યાં દાન-શીલતપ-ત્યાગ, ભક્તિ ભાવ અને સમાજમાં નવી આરાધના પધ્ધતિની લહેરથી તેઓ ચીર સ્મરણીય બની ગયા......... ગુરૂદેવ શ્રી આ.ભ. ભક્તિસૂરીશ્વરજી મ. ની આજ્ઞાને ચરિતાર્થ કરવા પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીજી મ. ના વાસક્ષેપ અને આજ્ઞાથી પાટણના મુખ્ય સંઘમાં સકલ શ્રી સંઘની સમક્ષ મહોત્સવ રચીને સંવત ૨૦૧૪ વૈશાખ સુદ-૬ના પં.શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પં. શ્રી સુબોધવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી અને આ.ભ.પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજને આ.ભ. શ્રી ભક્તિસૂરીજીના પદધર જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા પૂ.આ.ભ. શ્રીમદ્ તપાગચ્છ સૂર્ય આચાર્ય દેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને આદરણીય ગુરૂદેવના રૂપમાં માને છે, પૂજે છે અને હંમેશા માર્ગદર્શન લે છે. ભલભલા ચમરબંધી લોકો પ્રથમ દર્શને જ પૂજ્યશ્રી ના ચરણોમાં અહં મૂકીને હળવાશ અનુભવે છે. પૂજ્યશ્રીને ગુરૂ માની લેતા હોય છે. પૂજ્યશ્રીને ત્રણ ભાઈઓ હતા. મોટાભાઈ શેષમલજીએ બે વર્ષ બાદ દીક્ષા ગ્રહણ કરી અને આગળ વધતાં-વધતાં આચાર્ય પદારૂઢ બનીને પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય સુબોધસૂરીશ્વરજીના પુણ્યનામથી ઓળખાતા હતા. અમદાવાદશાહીબાગ, રાજસ્થાન હોસ્પીટલમાં વિક્રમ સંવત ૨૦૪૭ માગસર સુદ-૧૩ ના આ.ભ. શ્રીમદ્ વિજય સુબોધસૂરીજી મ. કાળધર્મ પામ્યા. રામ-લક્ષ્મણની જોડીના રૂપમાં પ્રખ્યાત બંને આચાર્ય બંધુ હંમેશા સાથે જ વિચરતા હતા. શાસન પ્રભાવનાના સર્વ કાર્યમાં બંનેની પ્રેરણા સાથે જ રહેતી હતી. અત્યારે આ.ભ. ગચ્છાધિપતિ, તપાગચ્છ સૂર્ય પૂજ્યશ્રી એકલા હાથે શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ૨૨૦
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy