SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રીને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રત્યે અનેરી પ્રીતિ હતી અને તેમનું શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય નિર્માણ થાય તેવું સ્વપ્ન હતું જે સ્વપ્ન આ.ભ.પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજે પૂર્ણ કર્યું. | પૂજ્યશ્રીનું સમગ્ર જીવન તપશ્ચર્યાથી ધન્ય બન્યું હતું. તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા – તપશ્ચર્યાઓ, ઉપધાનતમ, વર્ધમાન તપ સહિતની વિવિધ તપ તથા ધર્મ આરાધનાઓ પુષ્કળ, પ્રમાણમાં થઈ હતી. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર પરમ વંદનીય આ.ભ. શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજાને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. તેમનું સ્વપ્ન હતું કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય નિર્માણ પામે અને આ સ્વપ્ન બંધુ બેલડી આ.પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજે સાકાર કર્યું. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની વિગતો આપી છે. ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજય ધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેર ઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી આ. પૂ. શ્રી ધર્મસૂરીજી મ. , ૨૧૫.
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy