________________
હજાર નવીન જિનબિંબ ભરાવ્યા. પાંચસો પાંચ સમવસરણ કરાવ્યા. હાથીદાંતના પાંચસો સિંહાસન કરાવ્યા. શત્રુંજય તીર્થમાં અઢાર કરોડ અને છન્નુ લાખ દ્વવ્યનો વ્યય કર્યો હતો. શ્રી શત્રુંજય ઉપર ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને ત્યાં તોરણ બંધાવ્યું.
આબુ તીર્થ તો બાંધવ બેલડીનું નિર્માણ. સંવત ૧૨૮૬માં તીર્થનો પાયો નાખ્યો અને સંવત ૧૨૯૨માં ત્યાં ધજા ચડાવી. આ તીર્થમાં બાર કરોડ અને તેપન લાખ દ્રવ્ય ખર્ચ્યુ.
વસ્તુપાળ - તેજપાળે શ્રી ગિરનાર તીર્થમાં અઢાર કરોડ અને ત્યાંસી લાખ દ્વવ્યનો સદ્ભય કર્યો.
વસ્તુપાળ - તેજપાળે અન્ય ધર્મો માટે પણ ઉદારતા બતાવી હતી. તેમાં ૨૩૦૦ શિવમંદિર બંધાવ્યા. એક લાખ શિવલિંગ સ્થાપ્યા. ત્રણ લાખ દ્રવ્ય ખર્ચાને દ્વારકામાં તોરણ બંધાવ્યું. ૮૪ તુર્ક લોકોની મજીદ બંધાવી. ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા હજ પર તોરણ બંધાવ્યું.
એમણે ૮૪ પાષાણબદ્ધ સરોવર બંધાવ્યા. ૪00 પાણીની પરબો બંધાવી. ૪૬૪ વાવ કરાવી, ૯૦૦ કૂવા કરાવ્યા.
ગુજરાતના પુનરોદ્ધારમાં વસ્તુપાળ - તેજપાળનું મહાયોગદાન રહ્યું છે.
એકવાર વસ્તુપાળ - તેજપાળે વૃધ્ધ (વડ) ગચ્છાધિપતિ સંવેગી શ્રી વર્ધમાનસૂરીજીના મુખેથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના તીર્થનો અદ્ભૂત મહિમા સાંભળ્યો.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અદ્ભુત અલૌકિક મહિમા સાંભળીને વસ્તુપાળ – તેજપાળ અત્યંત પ્રભાવિત થયા. એમણે ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વર્ધમાનસૂરિજી સમક્ષ સંઘ કાઢીને તીર્થ યાત્રાએ જવાની ભાવના રજૂ કરી.
શ્રી વર્ધમાનસૂરીજીએ વસ્તુપાળ – તેજપાળની ભાવનાને આવકારી અને નિશ્ચિત દિવસે શ્રી વર્ધમાનસૂરીજીની પાવન નિશ્રામાં મહામંત્રી વસ્તુપાળ - તેજપાળે ભવ્ય સંઘ કાઢ્યો. અને શંખેશ્વર તીર્થની યાત્રા કરી હતી. સંઘમાં અનેક
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૩