________________
નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ.... ૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરત... ૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ
નયનાનંદ આનંદકંદ પારસજિન - પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણ હારા; પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણગાતા તારા.
| (મોહનલાલ ચુ. ધામી રચિત).
શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ
૧૬૫