________________
નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરંત...૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ નયનાનંદ - આનંદકંદ પારસજિન પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણ હારા; પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણગાતા તારા.
(મોહનલાલ ચુ. ધામી રચિત)
અંતરની વાણી િહે પાર્શ્વનાથ સ્વામી,
આપ સર્વ કર્મ રૂપ, દુષ્ટ વૈરીનું દલન કરનાર છો.
કમઠ નામ મહામૂર્ખ અસુરરૂપ પવન સામે મેરૂવત અડગ રહેનાર છો. નિર્મળ સિધ્ધ સ્થાનમાં રહેનાર છો.
જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસ્વર કરનારા આદિત્ય છો. પરમત રૂપી મેઘઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો.
પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો. અને ભવભયને
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૯