________________
ખેતર સે જો પ્રકટ હોકર, દિવ્ય પદ હૈ ધારતે । જો હૈ સદા હી યાત્રિયોં કી, આધિ-વ્યાધિ નિવા૨તે ।। દુર્ગુણોકો દૂર કરો, સદ્ગુણો કો સંવારતે । ઐસે ‘શ્રી પોસીના પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના ॥
ધ્વજ દંડ પણ પ્રભુના પ્રભાવને ચોતરફ ફેલાવતાં, યાત્રિકોના આગમને ધ્વજ દંડ વીંટળાઈ જતાં, થાક્યા જીવોને હામ દેતાં હારલાને પોરસાવતા, ‘પોસીના’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
યાત્રિકો આવવાના હોય ત્યારે તેના આગમન રૂપે આજે પણ જિનાલયની ધજા ધ્વજદંડ ફરતી વીંટળાઈ જાય છે. અતિ પ્રાચીન પ્રતિમા ખૂબજ પ્રભાવક છે.
શ્રી પાર્શ્વ વંદના
ચૈત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળનયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવસુખરાજ....૩
સ્તવના
શિવ ૨મણીના પ્રિતમ પ્યારા, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ... ૧
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૮