________________
છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. તેમજ પરિકરથી પરિવૃત છે.
શ્રી પાર્શ્વ ભક્તિ માં ગીત
ચૈત્યવંદના અશ્વસેન
દીવડો, વામાનંદના નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ...૧ એકસો વરસનું આઈખું, કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લંછન નાગ... ૨ ભવબંધન ને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવ સુખ રાજ....૩
સ્તવના શિવ રમણીના પ્રિતમ પ્યારા, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ, નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોતમજી, જ્ઞાનરૂપ અરિહંત.... ૨ પારસ પરસે લોખંડનો, પળમાં કંચન થાય; પદ પંકજ પારસના પરસે, ભવના બંધન જાય...૩ શામળીયાની સેવા કરતાં, મનના મળદળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય...૪ અંતરના અમૃત છલકાવી, પૂજીયે પાસ નિણંદ;
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૬