SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લામાં બડોદા ખાતે વટપદ્રતીર્થમાં શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ કે શ્રી પૌરૂષાદનીય પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આનું પ્રાચીન નામ મેઘપુર પાટણ, વટપ્રદ નગર વગેરે હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત ૧૦૩૬માં થયાનું મનાય છે. લેવામાં બિરાજમાન કેસરિયાનાથ ભગવાનની પ્રતિમા વિક્રમ સંવત ૯૦૯માં અહીંયા પ્રગટ થઈ હતી. એવી માન્યતા છે કે આ રાજસ્થાન - મેવાડના ડુંગરપુર જિલ્લાનું પ્રાચીન તીર્થ હોવાના કારણે અહીંની ખાસ મહાનતા છે. લેવા નગરમાં વિરાજીત શ્રી કેસરિયાનાથ ભગવાનની પ્રાચીન તેમજ ચમત્કારિક પ્રતિમા અહીંથી લગભગ ૪ ફૉંગ દૂર એક વડના વૃક્ષ નીચેથી ભૂગર્ભ માંથી પ્રગટ થઈ હતી. એવી માન્યતા છે કે જ્યાંથી પ્રતિમા પ્રગટ થઈ હતી ત્યાં આગળ પ્રભુની ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા ક૨વામાં આવી છે. આ મંદિરમાં એક પ્રાચીન પ્રતિમાજી પર વિક્રમ સંવત ૧૩૫૯નો લેખ ઉત્કીર્ણ છે. આ પ્રતિમાજી પણ અહીંથી લગભગ ચાર ફર્ટીંગ દૂર એક વૃક્ષની નીચેથી પ્રગટ થઈ હતી. પ્રચીન વીશ વિહરમાન પદ, ચોવીશ જિન કલ્યાણક પદ વગેરે દર્શનીય છે. (સંકલિત) સંપર્ક : શ્રી જૈન શ્વેતાંબર પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન મંદિર પેઢી, પોસ્ટ-બડોદા, જીલ્લો : ડુંગરપુર (રાજસ્થાન). આ તીર્થ બડોદગામની મધ્યમાં, ડુંગરપુર – વાંસવાડા માર્ગ ઉપર ડુંગરપુરથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે. મંદિરનું નિર્માણ લગભગ વિક્રમ સંવત ૧૦૨૫માં થયેલું છે. લેવામાં બિરાજેલી શ્રી કેસરિયાનાથ ભગવાનની પ્રતિમા વિ.સં. ૯૦૯(૧૧૦૦ વર્ષ) માં અહીં પ્રગટ થયેલી એવી એક માન્યતા છે. આ મંદિરથી થોડે દૂર જ્યાંથી પ્રતિમાજી પ્રગટ થયા હતા ત્યાં ઝાડ પાસે એક દેરીમાં શ્રી આદિશ્વર ભગવાનની ચરણ પાદુકાઓ છે. પ્રાચીન વીશ વિહરમાન પદે તથા ચોવીશ જિન કલ્યાણક પદ્ય વગેરે અત્યંત દર્શનીય છે. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ૯૭
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy