________________
"
પ્રવિણભાઈએ તરત જ પ્રિન્સીપાલ સાથે ટેલીફોનમાં વાત કરી અને કહ્યું : મારી દીકરી મનીષાનું એમ.એસ.સી. પ્રવેશ માટેનું ફોર્મ સ્વીકારી લેવાનું છે...’ પ્રિન્સીપાલ બોલ્યા : ‘સાહેબ, ફોર્મ તો સ્વીકારી લઉ પણ યુનિવર્સિટી નામંજુર કરશે... અમને તો લેવામાં કોઈ વાંધો નથી.
પ્રવિણભાઈ બોલ્યા : ‘તમે યુનિવર્સિટીની ચિંતા ન કરો. એ બધું ચપટી વગાડતા થઈ જશે...’
‘તો મને વાંધો નથી. એની જવાબદારી આપે લેવી પડશે...’ ‘ભલે...’ પ્રવિણભાઈ બોલ્યા.
પ્રવિણભાઈએ ફોન મૂકી દીધો અને શૈલેષભાઈને કહ્યું : ‘શૈલેષભાઈ, કાલે કોલેજમાં ફોર્મ ભરાવી દો. ને પ્રિન્સીપાલ તમને ફોર્મ યુનિ. માં ભરવા માટે જણાવશે. તમે એ ફોર્મ લઈને મારો સંપર્ક કરશો... બધું ગોઠવાઈ જશે.’
બીજે દિવસે કોલેજના પ્રિન્સીપાલે મનીષાનું ફોર્મ ભર્યું. અને એ જ દિવસે પ્રવિણભાઈના ફોનથી યુનિવર્સિટીમાં તે ફોર્મનો સ્વીકાર થઈ ગયો.
આમ મનીષાનો એમ.એસ.સી.માં પ્રવેશ મળી ગયો. તે રાજી રાજી થઈ
ગઈ.
સગુણાબેને ત્યારે કહ્યું : દીકરી, મેં તને કહ્યું હતું ને કે શ્રી સમ્રફણા પાર્શ્વનાથની ભક્તિ કરીએ તો વિપદા દૂર થાય છે. આટલા વર્ષોથી આપણે ત્યાં પ્રવિણભાઈ નહોતા આવ્યા. પણ તારૂં કાર્ય કરવા માટે તેઓ આવ્યા હોય એવું હવે તને લાગતું નથી. . . આ બધો પ્રતાપ શ્રી સપ્તફણા પાર્શ્વનાથ દાદાની ભક્તિનો છે.’
મનીષાએ કહ્યું : ‘મમ્મી, આપણે આજેજ શંખેશ્વર જઈએ અને બે દિવસ રોકાઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ સેવા-પૂજા કરીએ. તેમાંય શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની વિશેષ કરીને ભક્તિ કરીશું. ’
એમજ થયું.
શૈલેષભાઈ, સગુણાબેન અને મનીષા બે દિવસ શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં શ્રી સક્ષફણા પાર્શ્વનાથ પ્રભુની
શ્રી સમફણાજી પાર્શ્વનાથ
૬૨