SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કાશી પાર્શ્વનાથ પરમ તારક શ્રી શંખેશ્વર તીર્થ સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે રોજેરોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય ઉત્સવોના પ્રસંગે મેળા જેવું વાતાવરણ સર્જાય છે. દરેક ઉત્સવોની ઉજવણી અનેરા ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શ્રી શંખેશ્વર તીર્થનું મહાભ્ય દિન પ્રતિદિન વધતું જાય છે. | શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલું છે આ સંકુલમાં ભવ્યાતિભવ્ય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે. તે સિવાય ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે આવેલા છે. આ સંકુલ વિશાળ જગ્યામાં પથરાયેલું હોવાથી ભાવિકોને આરાધના માટે સાનુકૂળતા રહે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં છેતાલીસમી દેવકુલિકામાં શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. શ્રી કાશી પાર્શ્વનાથને શ્રી વારાણસી પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી કાશી પાર્શ્વનાથ પ્રભુની શ્વેત પાષાણની પ્રતિમાજી અહીં બિરાજમાન છે. પરિકરથી પરિવૃત્ત આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. તથા ફણાથી અલંકૃત્ત છે. શ્રી કરી પાર્શ્વનાથની આરાધના કરવાથી મનને શાંતિ પ્રદાન થાય છે. તેમજ મનોરથો પૂરાં થાય છે. ના | મહિમા અપરંપાર સાણંદમાં એક રાષ્ટ્રીયકૃત્ત બેંકમાં નીતિનભાઈ મણિયાર નોકરી કરતાં હતા. તેમનો પરિવાર સુરત હતો. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક પુત્ર હતો. તેમના પત્ની અને પુત્ર સુરત હતા. નીતિનભાઈ મહિને એકવાર શ્રી વારાણસી પાર્શ્વનાથ ૫૨
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy