________________
હસમુખભાઈના બન્ને પુત્રો તથા પુત્રી અભ્યાસ કરતાં હતા. હસમુખભાઈને ભાવનગરની મુખ્ય બજારમાં પ્રોવિઝન સ્ટોર હતો.
હસમુખભાઈનો પ્રોવિઝન સ્ટોર ધમધોકાર ચાલતો હતો. આજુબાજુના ગામડાના વેપારીઓ હોલસેલ ભાવે માલ ખરીદવા હસમુખભાઈની દુકાને આવતા હતા. ભાવનગરમાં હસમુખભાઈનું વેપારી આલમમાં પ્રતિષ્ઠાભર્યું નામ હતું. હસમુખભાઈ પ્રમાણિકતા અને નિષ્ઠાથી વેપાર કરતાં હતા.
| હસમુખભાઈનો પરિવાર દાદાવાડીના જિનાલયે દર્શનાર્થે જતો હતો. તેમાંય હસમુખભાઈ અને રશ્મિબેન દરરોજ વહેલી સવારે સેવાપૂજા કરવા જતા હતા.
ભાવનગરમાં મુંબઈની એક મોટી પેઢીએ પોતાની બ્રાંચ શરૂ કરી. મુંબઈની આ બ્રાંચમાં હસમુખભાઈ શાહના માલથી ઘણો જ સસ્તો માલ આપવાનો શરૂ થયો. શરૂઆતમાં મુંબઈની આ બ્રાંચને વેપારીઓનો પ્રતિસાદ ન મળ્યો પરંતુ ત્રણ મહિના વીત્યા પછી હસમુખભાઈના વેપારી ગ્રાહકો મુંબઈની પેઢીની બ્રાંચ તરફ વળી ગયા. મુંબઈની પેઢીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, સહિત અન્ય શહેરોમાં બ્રાંચ હતી. દરેક બ્રાંચો ધમધોકાર ચાલતી હતી.
હસમુખભાઈનો વેપાર ઠપ્પ થવા લાગ્યો. કોઈ રડ્યાખડ્યા વેપારીઓ અને ગ્રાહકો જ આવતા હતા. હસમુખભાઈને વેપારની ચિંતા સતાવતી હતી.
હસમુખભાઈએ એક દિવસ મન મોકળું કરીને પત્ની રશ્મિબેનને કહ્યું : રમિ, ભાવનગરમાં મુંબઈની એક પેઢીએ પોતાની બ્રાંચ શરૂ કરી છે. બ્રાંચ શરૂ થયાને ચાર-પાંચ મહિના થઈ ગયા અને અત્યારે તેની બ્રાંચ ધમધોકાર ચાલી રહી છે. તેમાંય તેણે સ્કીમ કાઢી છે કે આટલા માલની ખરીદી પર આ વસ્તુની ભેટ મળશે. કેશ ડીસ્કાઉન્ટ તો અલગ...આ બ્રાંચના કારણે આપણા વેપારને મોટી અસર પડી છે. આપણા વર્ષો જૂના ગ્રાહકો પ્રલોભનના કારણે તે તરફ વળી ગયા છે. એમ કહો કે આપણો વેપાર ઠપ્પ જેવો થઈ ગયો છે. પહેલાં દરરોજ દોઢસોબસો ગ્રાહકો અને પચ્ચીસ-ત્રીસ ગામડાના વેપારીઓ આવતા હતા તેઓ આવતાં બંધ થઈ ગયા છે. અત્યારે આખા દિવસ દરમ્યાન આઠ-દશ ગ્રાહકો અને એક-બે
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४६