SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા અપરંપાર જીવનમાં ઘણીવાર એવી આશ્ચર્યજનક ઘટનાઓ બનતી હોય છે કે જેની કલ્પના કરી શકાતી નથી. ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિપુલ દેસાઈનું વાર્ષિક પરિણામ આવ્યું ત્યારે તે એક વિષયમાં નાપાસ થયેલો બતાવાયો હતો. વિપુલ પ્રથમ ધોરણથી અગિયારમા ધોરણ સુધી ૮૦ ટકાથી નીચે ગુણ લાવ્યો નહોતો તેનું બારમાનું નાપાસનું પરિણામ આવતાં તેના ઘરના જ નહિ બલ્કિ મિત્રો, સ્નેહીઓ, સગાઓને ભારે આશ્ચર્ય થયું. વિપુલને ગણિત વિષયમાં નેવું થી ઉપર ગુણ મળવાની અપેક્ષા હતી પરંતુ તેને ગણિતમાં જ નાપાસ કરાયો હતો. વિપુલને પરિણામ જાણીને ભારે આઘાત લાગ્યો હતો. તેની સ્કૂલના આચાર્યને પણ આશ્ચર્ય થયું હતુ કે આમ બની જ ન શકે... ? સ્કૂલના આચાર્યે પેપર ખોલાવવાનું વિપુલને સૂચન કર્યું. વિપુલને અન્ય દરેક વિષયોમાં ૭૫થી વધારે ગુણો હતા. વિપુલે તરત જ પેપર ખોલાવવાની ફી ભરી દીધી. તેની માતા યશોદાબેને વિપુલને કહ્યું કે તું શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ દાદાને સાચા હૃદયથી પ્રાર્થના કર...તે જેટલા ગુણ ધાર્યા છે તેટલા મળી જશે...' વિપુલે ખરા હૃદયથી શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પ્રાર્થના કરી અને દર્શનાર્થે આવવાની ભાવના સેવી. પંદર દિવસ બાદ વિપુલ તેના પિતા સાથે ગાંધીનગર ગયો. શિક્ષણ વિભાગમાં ગયા. તેનું પેપર ખોલવામાં આવ્યું ત્યારે તેમાં નવ્વાણું ગુણ લખેલા હતા. જ્યારે રીઝલ્ટમાં માત્ર નવ ગુણ જાહેર થયા હતા. તેના પરિણામમાં સુધારો કરવામાં આવ્યો અને તે આણંદ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવ્યો. વિપુલની ખુશીનો પાર ન રહ્યો. વિપુલ તેના પિતા સાથે ત્યાંથી સીધો શંખેશ્વર આવ્યો. ત્યાં શ્રી શંખેશ્વર શ્રી ક્વેશ્વર પાર્શ્વનાથ ૨૩
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy