SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૂડેશ્વર પાર્શ્વનાથ મધ્યપ્રદેશના મંદસોર જીલ્લાના મનસા તાલુકાના કૂકડેશ્વર ગામમાં શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું દિવ્યતાથી ઓપતું પ્રાચીન અને મુખ્ય જિનાલય આવેલું આ તીર્થ મંદસોરથી ૬૦ કિ.મી.ના અંતરે અને રતલામથી ૧૧૭ કિ.મી. ના અંતરે આવેલું છે. નીમચ રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૪૫ કિ.મી. ના અંતરે આવેલું છે. | શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી વઢવાણ સીટી, જીરાવલા તીર્થમાં છે તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં એકતાલીસમી દેવકુલિકામાં શ્રી કૂકડેશ્વરજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. સાંતાક્રુઝમાં શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી શ્રીકલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના ગોખલામાં બિરાજમાન છે. મધ્યપ્રદેશના નીમચ રેલ્વે સ્ટેશનથી ૪૫ કિ.મી. ના અંતરે આવેલ શ્રી કકડેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ વર્ણની પ્રતિમાજી નવફણાથી મુક્ત પદ્માસનવાળી છે. ૨૭ ઈંચની ઊંચાઈ અને ૨૫ ઈંચ પહોળી આ પ્રતિમાજી છે. શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુના તીર્થ અંગેની એક પ્રાચીન કથા છે. પ્રાચીન કાળની વાત છે. વસંતપુર નામની નગરી હતી. આ નગરીમાં દત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. નગરી મધ્યમ કક્ષાની હતી. પૂર્વ પાર્જિત કર્મોના કારણે દત્ત બ્રાહ્મણ કુષ્ઠ રોગનો ભોગ બન્યો. કુષ્ઠ રોગની વ્યાધિમાં તે અસહ્ય પીડા અનુભવતો હતો. દત્ત બ્રાહ્મણથી લોકો દૂર રહેતા હતા. દત્ત બ્રાહ્મણની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તે કોઈને કશું કહી શકતો નહોતો. તે ઘરની બહાર ક્યારેક જ નીકળતો હતો. દત્ત બ્રાહ્મણને કુષ્ઠ રોગ થવાથી તેની પત્ની અને બાળકો અન્યત્ર ચાલ્યા ગયા હતા. દત્ત બ્રાહ્મણ પોતાની કુટિરમાં એકલો રહીને દિવસો પસાર કરતો હતો. આ રોગ શી રીતે દૂર શ્રી ક્રેશ્વર પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy