SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલ છે. ત્યાં ભવ્ય જિનાલય છે. આ જિનાલયની ભમતીમાં શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. આ પાર્શ્વનાથની ભક્તિ કરી આવો. બધા સારાવાનાં થઈ જશે. મને વચ્ચે તકલીફ થઈ હતી ત્યારે હું પણ એક મિત્રની સલાહ માનીને શંખેશ્વર ગયો હતો અને શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરી હતી...હું મુંબઈ આવ્યો ત્યાં ચાર દિવસમાં મારી મુંઝવણ દૂર થઈ ગઈ. ” | ‘ભલે...અમે એક-બે દિવસમાં નીકળીશું....' જયંતીભાઈ બોલ્યા. એમજ થયું. બે દિવસબાદ જયંતીભાઈ અને રસીલાબેન પુનાથી શંખેશ્વર જવા નીકળ્યા. તેઓ અમદાવાદ આવ્યા અને ત્યાંથી શંખેશ્વર જવા બસ પકડી. શંખેશ્વર પહોંચ્યા પછી તેઓ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવ્યા. પ્રથમ તો ધર્મશાળામાં એક રૂમ રાખી. રૂમ પર બન્ને તૈયાર થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથના જિનાલયે દર્શનાર્થે આવ્યા. બીજે દિવસે સેવાપૂજા કરી. ખાસ કરીને શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સેવાપુજા કરી, જયંતીલાલે હૃદયના ખરા ભાવથી પ્રાર્થના કરી અને મુંઝવણ માંથી ઉગારી લેવા શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ દાદા સમક્ષ વિનંતી કરી. | ત્યારબાદ તેઓ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પુજા કરી અને બે દિવસ રોકાઈને ઘોરાજી ગયા ત્યાં ચારેક દિવસ રોકાઈને પુના જવા રવાના થયા. - પુના આવ્યા પછી પંદરેક દિવસમાં તેઓને એક એજન્સી મળી ગઈ અને વેપાર ચાલવા લાગ્યો. જયંતીલાલ અને રસીલાબેન દરરોજ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જાપ કરતાં હતા. ; આમ થોડા સમયમાં ફરીને જયંતીલાલની દુકાન ચાલવા લાગી. શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ ૧૦
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy