SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા અપરંપાર કચ્છ જીલ્લાના રાપર ગામના વીરચંદભાઈ કચ્છી વર્ષોથી મુંબઈમાં રહેતા હતા. વીરચંદભાઈ કચ્છીનો પરિવાર અત્યંત ધાર્મિક. વીરચંદભાઈની અટક શાહ હતી પરંતુ કચ્છના હોવાના કારણે મુંબઈમાં તેઓ શાહના બદલે કચ્છી તરીકે વધારે જાણીતા થઈ ગયા હતા. વીરચંદભાઈ અને તેમના પત્ની મીરાબેન મુંબઈમાં કાંદીવલી ખાતે રહેતા તેમના કાકાને ઘેર ગયા. કાકા તથા કાકીએ બન્ને પ્રેમથી આવકાર્યા. આ વીરચંદભાઈએ કહ્યું : “કાકા, આ વખતે દેશમાં જવાના છો કે નહિ?” “ના...ભાઈ, લગભગ તો જઈ શકાશે નહિ. તું તો જવાનો છે ને?' હા... હું અને મીરાં જવાના છીએ. રાપર બે ચાર દિવસ રોકાઈશું અને બે દિવસ શંખેશ્વર જવાની ઈચ્છા છે.” શંખેશ્વર જવાનું તો તારૂં નક્કી જ હોય છે અને ત્યાં તું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અનેરા ભાવથી કરે છે તે વાત મારાથી અજાણી નથી.” કાકા, આપની વાત સાચી છે. જીવનમાં બે-ત્રણ પ્રસંગો એવા બની ગયા હતા તેમાંથી ઉગર્યો હોઉ તો શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની સેવેલી ભક્તિના કારણે. જયારે દેશમાં જવાનું થાય ત્યારે શંખેશ્વરનો કાર્યક્રમ હોય જ. કદાચ રાપર ન જઉં તો પણ શંખેશ્વર તો અચૂક જવાનું. મીરાંને પણ એટલી જ શ્રધ્ધા છે.” “ભાઈ, એમાં જરાય ખોટું નથી. તું દર વર્ષે અમારા વતી શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા પણ કરે છે. અમારે પણ ત્યાં જવાની ઘણી ઈચ્છા છે. ક્યારે પ્રભુ દર્શનની કામના પૂરી થશે તે ખબર નથી.” આ “કાકા, તો પછી અમારી સાથે જ આવોને...રાપર જઈ અવાશે અને શંખેશ્વરની યાત્રા પણ થઈ જશે.” કાકી બોલ્યા: ‘ભાઈ, મારી અને તારા કાકાની ટિકિટ કઢાવી લેજે...અમે શંખેશ્વર જરૂર આવીશું.' શ્રી ચ્છલિક પાર્શ્વનાથ ૨૫૦
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy