SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. તેઓ મોડીરાતે પાછા ફરવાના હતા. પોપટભાઈ લેસ્ટર ગયા પછી ત્રણ ચોર તેમના ફલેટના તાળા તોડીને કીંમતી વસ્તુઓ તથા રોકડ રકમ અને દાગીના લઈને નીચે ઉતર્યા. | ત્યાં પોપટભાઈના પડોસી મનસુખભાઈ મેદાનમાં ઊભા હતા તેમને થયું કે આ તો બધી પોપટભાઈની વસ્તુઓ છે. શું તેઓ ફલેટ ખાલી કરી રહ્યાં હશે? તેમણે તો વાત કરી નથી. આ લોકો મેટાડોરમાં માલ ભરીને લઈ જાય છે. શું હશે? ( મનસુખભાઈએ તરત જ મેટાડોરની નંબર પ્લેટ દૂરથી નોંધી લીધી અને સીધો પોલીસને ફોન કર્યો અને કયા સ્થળેથી પોતેબોલી રહ્યાં છે તે પણ જણાવી દીધું. | મનસુખભાઈ વાત પૂરી કરે ત્યાં તો દસ મિનિટમાં પોલીસવાન આવી ગઈ. મેટાડોર ઉપડવાની તૈયારી થતી હતી. તરત જ પોલીસ ખુલ્લી બંદુકે ત્રણેય ચોરને પકડી લીધા. - ફલેટના માલિક પોપટભાઈને તરત જ બોલાવી લેવામાં આવ્યા. પોપટભાઈએ પોલીસને જણાવ્યું કે આ બધી વસ્તુઓ મારી છે. પોલીસે બધી નોંધ કરીને પોપટભાઈને તેમની વસ્તુઓ ત્યાંજ સોંપી દેવામાં આવી. દાગીના અને રોકડ રકમ પણ સોંપી દેવાઈ. પોપટભાઈ અને રેખાબેનને થયું કે આ વિનમાંથી બચાવનારા શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુ જ છે. લંડનની પોલીસ આ ત્રણેય તસ્કરોની ઘણા દિવસોથી તલાશમાં હતી આજે પકડાઈ જતાં નિરાંતનો શ્વાસ લીધો. લંડન પોલીસે ત્રણેય તસ્કરોની પોલીસ સ્ટેશનમાં સારી એવી સરભરા કરી અને લોકઅપમાં નાંખી દીધા. પોપટભાઈની ફરિયાદથી ત્રણેયને આકરામાં આકરી સજા થાય તે માટે પોલીસ તંત્ર કામે લાગ્યું. આ બાજું પોપટભાઈ, રેખાબેનની શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા વધારે ગાઢ બની. તેઓ બીજા જસપ્તાહમાં ભારત આવ્યા અને સીધા શંખેશ્વર શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ૨૪૪
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy