SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્રા૨, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચુમોતેરમી દેવકુલિકામાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં બિરાજમાન શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સમણાથી અલંકૃત છે. આ પ્રતિમાજીની બાજુમાં બે શ્રી જિનબિંબ બિરાજમાન છે, જે શ્વેત પાષાણની છે. બન્ને અત્યંત દર્શનીય છે. મહિમા અપરંપાર લંડનમાં પોપટલાલભાઈનો પરિવાર વર્ષોથી રહેતો હતો. બે વર્ષ પહેલાં અમદાવાદ આવીને એક ફલેટ ખરીદ્યો હતો. અને ભારત આવવાનું થાય ત્યારે હોટલમાં ઉતરવું નપડે અથવા તો સગા-વહાલાને ત્યાં રહીને તેમને હેરાન કરવા નહિ તેવી ગણતરી કરીને ફલેટ લીધો હતો. લંડનમાં પોપટભાઈના પત્ની રેખાબેનનો જન્મ જ લંડનમાં થયો હતો. પોપટભાઈ અને રેખાબેનનું જીવન ધર્મમય રીતે પસાર થતું હતું. તેઓ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી. તેઓ ત્યાંના શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથની તસ્વીર લીધી હતી અને તેને એન્લાર્જ કરીને મોટી તસ્વીર પૂજાના રૂમમાં રાખી હતી. ત્યાં તેઓ દ૨૨ોજ ધૂપ-દીપ કરતાં હતા. એકવાર પોપટભાઈ, રેખાબેન તથા તેમની પુત્રી શ્રીના લેસ્ટર ગયા. તેમણે લંડનનો પોતાનો ફલેટ બંધ કર્યો. તાળું માર્યું હતું. પોપટભાઈ લેસ્ટરમાં એક શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ૨૪૩
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy