SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શકતી નથી. હવે તો મેં નોકરી મેળવવાના પ્રયત્નો પણ છોડી દીધા છે. અહીંથી નીકળીને પહેલાં શ્રી જિનેશ્વર ભગવંતના દર્શન કરવા પછી જ મજુરી કામ કરવું. આ નિયમ જાળવી રાખ્યો છે.'' અહીં બાજુના ઉપાશ્રયમાં જ્ઞાની ગુરૂ ભગવંત પધાર્યા છે. આપણે બપોરે તેમના વંદન કરવા જવું છે.' પ્રતિભા બોલી. ભલે...બપોરે ત્રણ વાગે જઈશું...” રીખવચંદે કહ્યું. અને એ જ દિવસે બપોરે ત્રણ વાગે ઝુંપડપટ્ટીના આગળના ભાગે આવેલા ઉપાશ્રયમાં રીખવચંદ અને પ્રતિભા દર્શનાર્થે ગયા. તેઓએ અત્યંત શ્રધ્ધા સાથે વંદના કરી. ત્યારે ઉપાશ્રયમાં અન્ય કોઈ હતું નહિ. આ બન્ને પતિ-પત્નીએ ગુરૂદેવની સાતા પૂછી પછી રીખવચંદે પોતાનો પરિચય આપ્યો. - ગુરૂદેવ, આ ઉપાશ્રયના પાછળના ભાગે આવેલ ઝુંપડપટ્ટીમાં છેલ્લા દસેક વર્ષથી રહીએ છીએ. ધંધામાં બધું ગુમાવી દીધું. તેથી સંજોગો વિપરીત થયા અને ત્યાં રહેવા જવું પડ્યું.' ગુરૂદેવે બન્નેના મસ્તક પર વાસક્ષેપ છાંટ્યો. પછી ગુરૂદેવે કંઈક વિચારીને કહ્યું: “રીખવભાઈ, તમે એક કામ કરો. તમે શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુના જાપ કરો. બન્ને કરશો તો સારૂ રહેશે. અઠ્ઠમ તપની આરાધના કરો તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ફરતી ભમતીમાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની દેરી છે ત્યાં અઠ્ઠમ તપ કર્યા પછી દર્શન કરી આવજો . અટ્ટમ તપનું પારણું પણ ત્યાં જ કરજો. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી તમારા જીવનમાં ફરીથી આનંદ, હર્ષ, મંગલ છવાઈ જશે.”ાડા રીખવચંદ અને પ્રતિભા આ સાંભળીને ગુરૂદેવને પુનઃ વંદન કર્યા. તેમની આંખોમાંથી આંસુ ઉમટી આવ્યા. ગુરૂદેવે કહ્યું : “રીખવચંદ, આ સંસારમાં દરેક જીવને તડકો-છાંયો અનુભવવો પડે છે. તારા દુઃખના દિવસો હવે પૂરા થવામાં છે. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ તારા જીવનમાં આનંદની વર્ષા કરશે.” શ્રી આનંદા પાર્શ્વનાથ ૨૨૮
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy