SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું. આ જિનાલયમાં કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી અને પ્રભાવક પ્રતિમાજી બિરાજમાન છે. અનેક જૈનાચાર્યો, મુનિ ભગવંતો તથા કવિઓએ આ તીર્થનો ઉલ્લેખ પોતાની રચનામાં કર્યો છે. વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાં ઉધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે. શ્રી અમુલખ માણેકલાલજી બાગરેયાએ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવીને વિક્રમ સંવત ૧૯૪૪માં મહા સુદ આઠમના શુભ દિવસે પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું આ તીર્થ રાજસ્થાનના જેસલમેર જીલાલાના બ્રહ્મસર ગામમાં આવેલ છે. આ ક્ષેત્ર શ્રી જેસલમેર પંચતીર્થનું એક તીર્થસ્થાન છે. અહીંથી દોઢ કિલોમીટર દૂર દાદા શ્રી જિનકુશલસૂરીશ્વરજીનું સ્થાન તથા કુંડ આવેલા છે. જનશ્રુતિ અનુસાર દેરાઉર ગામમાં લુણિયા ગોત્રના એક શેઠને યવન લોકો ખૂબજ સતાવતા હતા. ગુરૂદેવે શેઠને રાજસ્થાન પ્રસ્થાન કરવાનું કહ્યું. અને પાછળ જોવાની ના કહી. લુણિયા પરિવાર ઊંટો પર સામાન મૂકીને ચાલી નીકળ્યા. આ સ્થળે પહોંચ્યા ત્યારે અજવાળું થતાં શેઠજી એ પાછળ ફરીને જોયું અને ગુરૂદેવ તરત જ ત્યાં રોકાઈ ગયા. તથા આશીર્વાદ આપીને કહ્યું કે હવે હું જાઉ છું, તું ડરતો નહિ. નજીકમાં બહ્મસર ગામ છે ત્યાં જજો, જે પથ્થર પર ગુરૂદેવના ચરણોને ઉત્કીર્ણ કરાવીને છત્રીની સ્થાપના કરી હતી. એ ચરણો આજે પણ છે. દાદાવાડી પણ નિર્માણ કરવામાં આવી. આ દાદાવાડીમાં એક કુંડ છે. જેમાં દુકાળના સમયમાં પણ હંમેશા નિર્મળ પાણી ભરેલું રહે છે. આ સ્થળ ખૂબજ ચમત્કારી તેમજ જોવા લાયક છે. (૨) શ્રી કુંભોજગિરિ તીર્થ પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. પહાડ પર આવેલું આ તીર્થ અતિ રમણીય લાગે છે. ત્યાંના નયનરમ્ય વાતાવરણમાં પ્રભુ પિરતિમા સમક્ષ મન ભક્તિમાં લીન થઈ જાય છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ૨૧૨
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy