SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું કે તું એકવાર શંખેશ્વરની અને શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજી દર્શન-વંદન અને સેવાપૂજા કરી આવ...' વડીલની વાત સાંભળ્યા પછી શંખેશ્વર જવાની ઈચ્છા પ્રબળ બની છે.” જીતેન્દ્ર, તારી ઈચું છે તો જઈ આવ...' માતાજીએ કહ્યું. ના...આપણે ત્રણેય સાથે જઈશું...અહીંથી પુનમની બસ જાય છે. તેમાં જઈશું. એકદમ ઓછા ભાવે લઈ જાય છે. ત્રણ દિવસ પછી પુનમ છે તો હું આજે જ ટિકિટ લઈ લઉં છું. આ વખતે પુનમના દિવસે રવિવાર છે એટલે રજા લેવાનો પણ પ્રશ્ન નથી.' ‘ભલે...એમ કર...' અને જિતેન્દ્ર પોતાના માતાપિતાને લઈને પુનમના આગલી રાતે શંખેશ્વર યાત્રા બસમાં બંસી ગયો. ત્રણેય પ્રથમ વાર જ શંખેશ્વર આવતા હતા. ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં સેવાપૂજા કરી તેમાંય શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા અનેરી ભક્તિથી કરી... ત્રણેયને શંખેશ્વરનો યાત્રા પ્રવાસ આનંદમય બની ગયો. તે દિવસે સાંજે શંખેશ્વરથી બસ ઉપડીને મોડી રાત્રે ભાવનગર આવી. પંદર દિવસ વીતી ગયા. એક દિવસ જિતેન્દ્રને પ્રાઈવેટ બેંકમાં પટાવાળા તરીકેની ઓફર આવી. આ ઓફર પ્રેમચંદભાઈ લાવ્યા હતા. જિતેન્દ્રએ તરતજ ઓફર સ્વીકારી લીધી. જિતેન્દ્ર બેંકમાં લાગી ગયો. શરૂઆતનો પગાર પાંચ હજાર રૂપિયા હતો. જિતેન્દ્ર મનોમન શ્રી સૂરજ મંડન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. તે બેંકની નોકરી માં લાગ્યો તે પછી એકવાર એકલો શંખેશ્વર જઈ આવ્યો. આમ જિતેન્દ્રનો પરિવાર સુખના દિવસો જોવા લાગ્યો. બીજા વર્ષે તેના વિવાહ પણ થઈ ગયા અને એક સારી જગ્યાએ નાનકડો ફલેટબેંકની લોન લઈને ખરીદ્યો. શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ ૧૨૯
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy