SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા અપરંપાર અમદાવાદમાં રહેતા તારાચંદભાઈ ગાઠાણીનો પુત્ર ચેતન પ્રાઈવેટ ફાર્મમાં સર્વિસ કરતો હતો. તેનો પગાર ઘણો ઓછો હતો આથી તે બીજી કોઈ સારી જગ્યાએ નોકરી માટેના પ્રયત્નો કરતો હતો. ચેતન જ્યાં નોકરી કરતો હતો ત્યાં બાર કલાક કામ કરવું પડતું હતું અને પગાર માત્ર પંદરસો રૂપિયા હતો. ચેતને અવાર-નવાર પોતાના શેઠને પગાર વધારવા માટે જણાવતો પણ શેઠ તેની કોઈ વાત ધ્યાને લેતા નહોતા. આથી ચેતન ભારે આર્થિક મુંઝવણ અનુભવતો હતો. ચેતન અન્યત્ર નોકરી માટે પ્રયત્ન કરતો હતો પરંતુ સફળતા મળતી નહોતી. - ત્યારે એકવાર ચેતનને તેના મિત્રએ સલાહ આપી કે તું શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં જઈને શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુ પાસે પ્રાર્થના કરીશ તો તારી મનોકામના સફળ થશે. આમ ચેતન રવિવાર આવતાં શંખેશ્વર ગયો ત્યાં શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુના દર્શન-વંદન કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં આવ્યો ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી, અને ફરતી ભમતીમાં બાવનમી દેરીમાં બિરાજમાન શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધાથી સેવા-પૂજા. કરી અને મનોમન પ્રાર્થના કરી કે મારા કાર્યને સફળ બનાવો....' - ચેતન રવિવારે સાંજે શંખેશ્વરથી અમદાવાદ આવી પહોંચ્યો. આઠ દિવસ બાદ ચેતનને ઘેર એક પ્રાઈવેટ કંપની તરફથી લેટર આવ્યો, જ્યાં અગાઉ ચેતને નોકરી માટે અરજી કરી હતી તેનો જવાબ હતો. ચેતનને ચાર હજારની ઓફર સાથેની નોકરી અંગેની જાણ કરાઈ હતી. ( ચેતન તો આનંદિત થઈ ગયો. તેણે તરત જ તે નોકરીનો સ્વીકાર કરી લીધો. તે પહેલાં શંખેશ્વર જઈને દર્શન-વંદનાદિ કરી આવ્યો. તેને શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા થઈ ગઈ હતી. તે વર્ષમાં બે વાર શંખેશ્વર શ્રી શેરીસાજી પાર્શ્વનાથ ૯૫
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy