SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમજી પારેખને શત્રુજ્ય-સંઘ. પાયદલ હતાં. પહેલી સવારીમાં કપુરચંદ ભણશાલીની પાલખી હતી અને તેની આણ સર્વત્ર ચાલતી. ત્યાંથી મુકામ ગાંગડ થતાં ત્યાંને રાજા સંધવીને સામે મળે. તેને ભણશાલીજીએ ઇનામ આપ્યું, ને તેને વળાવા તરીકે સાથે લીધે. પછી ભલે થઈ ધંધુકા આવતાં ત્યાંને હાથી નામને કાઠી સામે આવ્યો તેને પણ ઈનામ આપી વેળાવા તરીકે સાથે લીધું. આગળ કુચ કરતાં માર્ગ કાઢી લેક મળ્યા ને હાહાકાર થશે. કપુરચંદ ભણશાલીએ લશ્કરને કહી દીધું કે જે સામા થઈ તેને મારી આવશે તે ઇનામ પામશે, ઘાયલ થાય તેને ઘેરબેઠાં ખાવાનું મળશે, જેનો ઘોડે પડશે તેને સવાયું મળશે, ને જે મરણ પામશે તેનાં બાળકે પાળીશું. બંદૂકે છૂટી, લડાઈ થઈ, હાથી કાઠીની ઘડી મરાઈ, ને પછી સલામતીથી નાવડે વાટેલે ગામે આવતાં મુકામ કર્યો. પછી લેલીયાણે આવતાં ત્યાં પણ કાઠીઓ બૂમ પડાવવા લાગ્યા. અહીં વાહર સાથે લઈ એક વાણીઆએ બરછી લઈ સામનો કર્યો. તેને ઇનામ મળ્યું. ત્રણ દિવસ ત્યાં રહી ધારૂકે સંધ આવ્યો. ત્યાં ભાવસંગ રાજા રાજ્ય કરતા હતા તેણે દાણ આપવાની માંગણી કરી. ભણશાલીજીએ કહ્યું. “મને સુબા સુલતાન બધા જાણે છે, મારે આ સંધ છે. ધાર્મિક સંઘ છે, જ્યાં જ્યાં ગયા ત્યાં બધા લશ્કર લઈ વેળાવા આવેલ છે તે તમે પણ વેળાવા તરીકે સાથે આવો. પછી તેના બદલામાં તમને રાજી કરશું.” ભાવસંધ કહે “દાણુ આપ્યા વગર નહિ ચાલે. લાગત અમારી પહેલી લેશું ને પછી સંધને વેળાવી દેશું, નહિ તે અનર્થ કરીશું” ભણશાલી હઠે ચડે, દાણ આપે નહિ ને સંધ ચાલે નહિ. તેણે કહ્યું “લશ્કર મંગાવીશ ને ગામ ભંગાવીશ.” ભાવસંગ પણ અડી પડે. મરચા
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy