SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોને જણને માટે છપાવવાની જરૂર છે. આ પુસ્તકમાં શેઠજીનાં વ્યાપારી કાર્યોની જીદગીના હવાલે આપવામાં આવ્યા છે. એમની ઉપર પણ ઘણી આફત આવી પડેલી પરંતુ તેમાંથી દરેકમાંથી તેઓ માનભેર પાછા હઠવા પામ્યા હતા. પરંતુ તેમના સુપુત્ર ફકીરભાઈના અકાલ મૃત્યુથી તેમના મન ઉપર ઘણી ઊંડી અસર થઈ ગઈ હતી તેમાંથી તેઓ જોઈએ તેવી રીતે છુટા થઈ શકયા નહીં. અને આખરે એમની જીદગીને અંત પણ નજીક આવી લાગ્યો. ભાઈ ફકીરભાઈ પણ એક ગુણ પોતાના કદરદાન સુપુત્ર હતા એમણે જેનવેતાંબર કોન્ફરન્સ, જેનએસસીએશન વિ સંસ્થામાં ઘણે સારે આગેવાની પડતે ભાગ લીધે હતો. તથા તેઓએ વિદ્યાર્થીઓને માટે સગવડતા કરી આપી હતી. એમના નામથી સુરતમાં વટાચૌટામાં એક લાયબ્રેરી ચાલતી હતી. પરંતુ ફંડના અભાવે તે બંધ પડી છે આ લાયબ્રેરીને પુનરોધ્ધાર કરવા સારૂં હમે તેઓના સંસ્થાપકોને તથા શેઠ પ્રેમચંદભાઈના સુપુત્રોને ભલામણ કરીએ છીએ. અત્યારે તેમના કુટુંબમાં શેઠ કીકાભાઈ તથા રા. માણેકલાલ છે. શેઠ કીકાભાઈ મુંબઈના શેર દલાલના પ્રેસીડન્ટ હતા પણ થોડા વખત પર રાજીનામું આપ્યું છે. તેઓએ શેરના ધંધામાં ઘણું સારી પ્રખ્યાતિ મેળવી છે. હમારી તેમને ખાસ ભલામણ છે કે તે પિતાના પિતાના પગલે ચાલી અનેક જૈન તથા જૈનેતર સંસ્થાઓને સારી મદદ આપી
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy