SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - મ ૧૦ સુરતને જેન ઈતિહાસ કમલશેખરે સુરતમાં નવતત્ત્વ ચોપાઈ ૬૫ કડીની રચી, (કે જેની બે પત્રની પ્રતિ નં. ૪૮૦ ની મહાવીર જૈન વિદ્યાલયના સંગ્રહમાં હાલ છે.) ૧૫ સં. ૧૬૧૩ માં તપાગચ્છનાયક વિજયદાનસૂરિએ “તિ of fથતિ” એટલે સુરત બંદરમાં ચોમાસું કર્યું અને ત્યાં એક સુદ ૧૫ ને દિને નાડલાઈવાસી નવ વર્ષના ઓસવાલ બાલક જયસિંહને તેની માતા સાથે દીક્ષા આપી તેનું નામ જયવિમલ રાખ્યું, તેને (સ્વશિષ્ય અને પટધર) હીરવિજયસૂરિ પાસે રાખવામાં આવ્યા. આ જયવિમલ પછીથી ઉક્ત હીરવિજયસૂરિના પધર પ્રસિદ્ધ વિજયસેનસૂરિ થયા, કે જેમણે અકબર બાદશાહના આમં. ત્રણથી લહેર જઈ ગાય, બળદ, ભેંસ, પાડાની હિંસાને, મરણ પામેલાંનું દ્રવ્ય સરકાર લેતી તેને, અને બંદીવાનોને પકડવા વગેરેનો નિષેધ કરનાર ફરમાનને તે બાદશાહ પાસેથી મેળવ્યું. આ રીતે એક સુરિસમ્રાર્તા દીક્ષાસ્થાન થવાનું ગૌરવ સુરતે પ્રાપ્ત કર્યું છે. (હીરસૌભાગ્ય ૬, ક્ષે. ૧૩૫ થી ૩૦૦; વિજયપ્રશસ્તિ ૪, ૧૪ ; તથા પાંચમે સર્ગ.) - ૧૬ ઉક્ત હીરસૌભાગ્ય અને વિજય પ્રશસ્તિ-અને કાવ્યમાં સુરતને બંદર જણાવવામાં આવ્યું છે, તદુપરાંત વિજ પ્રશસ્તિમાં (૪, ૧૪૨) સુલેહા . માં , તથા (પ-૮૮) બgrgreyઃ જે પોિ -એટલે કે કશું દેશની ભૂમિના મુખના અલંકાર રૂપ (કારણ કે કેકણમાં પ્રવેશ સુરતથી થત), અને ઘણું મોટા પુણ્યથી સુંદર એવું બંદરએવાં સાર્થક વિશેષણ સુરતને આપ્યાં છે. તે
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy